Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેરિટેજ સીટી અમદાવાદનો લોકો મોમો કાફેમાં બિહારી વાનગીઓનો સ્વાદ માણશે

Webdunia
શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (15:57 IST)
આ વરસાદી મોસમમાં  બિહારી વાનગીઓના સ્વાદમાં તરબતર  થવા તૈયાર થઈ જાવ. કોર્ટયાર્ડ 
બાય મેરિયોટ્ટ અમદાવાદ ખાતે  ખાસ તૈયાર કરવામાં આવેલી પૂર્વનાં રાજ્યોની  અધિકૃત શાકાહારી અને બિનશાકાહારી વાનગીઓનો ફેસ્ટીવલ યોજાઈ રહ્યો છે. ગ્રાહકોને  ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ વાનગીઓમાં બિહારનાં સ્વાદિષ્ઠ સ્ટાર્ટરથી માંડીને મેઈન કોર્સની વાનગીઓ તેમજ ડેઝર્ટસનો સમાવેશ કરાયો છે. મોમો કાફે ખાતે યોજાનારો આ ફૂડ ફેસ્ટીવલ  તા. 23 થી 31 ઓગસ્ટ સુધી સાંજે 7-30થી 11-30 સુધી ખુલ્લો રહેશે.
 
બિહારી વાનગીઓ મહદઅંશે ઉત્તર ભારતની વાનગીઓ જેવી તો હોય છે જ, પણ તેમાં ભૂર્વ ભારતનાં અન્ય રાજ્યોની વાનગીઓની છાંટ વર્તાય છે. લીટ્ટી ચોખા એ ખૂબ જાણીતી બિહારી વાનગી છે. પરંતુ આ રાજ્ય
ને અન્ય કેટલીક વાનગીઓને કારણે પણ જાણીતુ છે.  ફેસ્ટીવલમાં કેટલીક સિઝનલ વાનગીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં  તરબૂચ અને  વુડ એપલ ફ્રૂટના ના પલ્પમાંથી બનાવેલ શરબત કે જે ખાસ કરીને ઉનાળાની મોસમમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે શિયાળાની મોસમમાં આરોગવામાં આવતી તલ અને ખસખસમાંથી બનાવેલી વાનગીઓનો પણ સમાવેશ કરાયો છે. 
 ફેસ્ટીવલમાં કેટલીક બિહારી મીટ ડીશ પણ રજૂ કરવામાં આવી છે, તેમાં ચીકન અને મટનનો સામાન્યપણે ઉપયોગ થાય છે.સોને, ગંડક, ગંગા, અને કોશી નદીઓને કારણે  મિથિલા જીલ્લો તેની માછલીઓની વાનગીઓ માટે જાણીતો છે. બિહારમાં દહી, મસાલા છાશ (કે જે મઠ્ઠા તરીકે ઓળખાય છે તે તથા ઘી લસ્સી અને માખણ જેવી   ડેરી પ્રોડકટસ સમગ્ર વર્ષ દરમ્યાન આરોગવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments