Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (16:04 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનું સ્વરૂપ હવે ભયંકર સ્થિતિમાં પલટવા લાગ્યું છે. રાજકારણીઓ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં ચડવા માંડ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા જ્યારે સીએમ રૂપાણીને મળવા ગાંધીનગર ગયાં હતાં ત્યાર બાદ તેમનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો પણ કોરોનાનો ભોગ બનવા માંડ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો  સાથે હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

PM Modi Happy Birthday Wishes - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિત્તે આ સુંદર મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર આપો શુભકામનાં

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

આગળનો લેખ
Show comments