Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી અમદાવાદમાં બે દિવસ રિક્ષાના પૈડા થંભશે: CNGના ભાવવધારા સામે રિક્ષાચાલકોની હડતાળ, ભાડા વધારાની માંગ

Auto Rickshaw Strike
Auto Rickshaw Strike
અમદાવાદમાં 5 અને 6 ઓગસ્ટે રિક્ષાચાલકોની બે દિવસીય હડતાળ અમદાવાદ શહેરમાં ૫ અને ૬ ઓગસ્ટ દરમિયાન પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા બે દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. CNGના સતત વધી રહેલા ભાવને કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો છે અને વર્તમાન ભાડામાં રોજીરોટી મેળવવી મુશ્કેલ બનતા આ હડતાળ પાડવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા સેવાઓ નોંધપાત્ર રીતે પ્રભાવિત થવાની શક્યતા છે.
ALSO READ: Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર
 
CNGના રૂ. 94.02 ભાવ વધારા સામે રિક્ષાચાલકોનો આક્રોશ હડતાળનું મુખ્ય કારણ CNGના ભાવમાં થયેલો સતત વધારો છે, જે હાલ પ્રતિ કિલો રૂ. 94.02 સુધી પહોંચી ગયો છે. ઈંધણના વધતા દરોની સાથે વાહનની જાળવણી અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં પણ વધારો થયો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે વધતા ખર્ચ સામે આવક જાળવી રાખવી મુશ્કેલ બની ગઈ હોવાથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
 
યુનિયન દ્વારા મિનિમમ રૂ.30  અને પ્રતિ કિમી રૂ.20 ભાડાની માંગ પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયને સ્પષ્ટ માંગ કરી છે કે રિક્ષાનું મિનિમમ ભાડું રૂ.30  કરવામાં આવે અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર રૂ.20 નો દર નક્કી કરવામાં આવે. હાલના દરો વધતી મોંઘવારી અને ઈંધણ ખર્ચ સામે પૂરતા ન હોવાથી, ભાડામાં સુધારો કરવામાં આવે તો જ રિક્ષાચાલકોને આર્થિક રાહત મળી શકે તેમ છે.
ALSO READ: ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો
 
મુસાફરો માટે પરિવહનના અન્ય વિકલ્પો શોધવાની જરૂરિયાત આ હડતાળને કારણે ખાસ કરીને ઓફિસે જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શહેરમાં સામાન્ય દિવસોની સરખામણીએ રિક્ષાઓની સંખ્યા ખૂબ ઓછી રહેશે, તેથી મુસાફરોને સમયસર પહોંચવા માટે અગાઉથી આયોજન કરીને AMTS અથવા BRTS જેવા જાહેર પરિવહનના અન્ય વિકલ્પો પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વંદે ભારત ટ્રેન ડ્રાઈવર કેટલી કમાણી કરે છે અને તેમની પસંદગી કેવી રીતે થાય છે તે જાણો.