Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિક્ષાચાલકોની માગ નહીં સંતોષાતા 7મી જુલાઈએ હડતાળની ચીમકી

Webdunia
ગુરુવાર, 2 જુલાઈ 2020 (14:16 IST)
ઓટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને આગામી 7 જુલાઈએ હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.  આ અંગે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં તથા લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી. આ ઉપરાંત  બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ જણાવ્યું હતું. આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે અને તેના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી. આમ રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર ઉગામ્યું છે. આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments