Webdunia - Bharat's app for daily news and videos

Install App

એટીએસના 11 જવાન કોરોના પોઝીટીવ, બધા થયા હોમ ક્વોરોંટાઈન

Webdunia
રવિવાર, 30 ઑગસ્ટ 2020 (09:59 IST)
દેશભરમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા વીઆઇપી કોરોનાની ચપેટમાં આવી ચુક્યા  હવે ગુજરાત એટીએસના 11 પોલીસકર્મચારીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. કોરોના સંક્રમિત થયા પછી તમામ 11 પોલીસકર્મચારીઓને હોમ ક્વોરોંટાઈન કરવામાં આવ્યા છે. સંક્રમિતોની યાદીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટરનું નામ પણ શામેલ છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ તાજેતરમાં ભાજપના નેતા ગોરધન ઝડાફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જ્યારબાદ તેને કોર્ટમાં હાજર કરતા પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝીટીવ જોવા મળ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  શાર્પ શૂટરની ધરપકડ  કર્યા પછી, તમામ પોલીસકર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા પોલીસકર્મીઓને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ જોવા મળી હતી.
 
40 લોકોને કર્યા હતા હોમ ક્વોરોન્ટાઇન
 
ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે  19 ઓગસ્ટના રોજ ભાજપના નેતા ગોરધન ઝડકિયાની હત્યા માટે આવેલા શાર્પશુટરની અમદાવાદના વિનસ હોટલમાંથી ધરપકડ કરી હતી.  ગોરધન ઝાડાફિયાને મારવાનું કાવતરું અને સોપારી  દાઉદ ઇબ્રાહિમના ઈશારે છોટા શકિલ દ્વારા આપવામાં આવી હતી 
 
આ માહિતી મળ્યા બાદ પોલીસે મોડી રાત્રે હોટલ પર રેડ પાડી હતી અને ઇરફાન શેખ નામના શાર્પશુટરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇરફાનને પકડવા માટે સમગ્ર એટીએસ ટીમ અને ક્રાઈમ બ્રાંચ રોકાયેલી હતી ઇરફાન શેખે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં ઇરફાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસના 40 જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments