Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સરોવરના 23 ગેટ ખોલાયા, આસપાસના ગામોમાં એલર્ટ

Webdunia
રવિવાર, 30 ઑગસ્ટ 2020 (09:41 IST)
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સજાય રહી છે.સતત  વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમ ભરાયા છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભય વધ્યો છે. ભયને જોતા શનિવારે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે સરદાર સરોવર ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
પાણી છોડતા પહેલા ભરૂચ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમના નિર્માણ બાદ બીજી વાર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. અગાઉ નર્મદા સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. સરદાર સરોવર ડેમ હાલમાં 130 મીટરની ઉપરથી વહી રહ્યુ  છે. નર્મદાની આજુબાજુના 30 ગામોને એલર્ટ કરાયા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એક-બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર હજુ વધવાની શક્યતા  છે. જેને ધ્યાનમાં રાખીને દરવાજા ખોલવાની સૂચના આપવામાં આવી છે.
 
બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો પવાહ સતત વધી રહ્યો હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદાની આજુબાજુના ઘણા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments