Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભાજપ બે સીટો ગુમાવશે, અમિત શાહની લીડનો આંકડો ઘટી શકે છે

Webdunia
સોમવાર, 20 મે 2019 (13:48 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા પેજ પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી આંતરિક રીતે મતદાનના આંકડા અને બુથના આધારે ભાજપને કઈ વિધાનસભા બેઠક પર કેટલા મત મળશે તેનું એક એનાલિસિસ તૈયાર કર્યું હતું, જેમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકના પેજ પ્રમુખ,મંડલ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોનો સાથ લઈને મતદાનના આંકડાની ટકાવારીને આધારે ભાજપને કઈ બેઠક પર કેટલા મત મળશે અને કેટલા માર્જિનથી હાર-જીત થશે તેનું સૂક્ષ્મ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
ભાજપના આંતરિક સર્વેમાં પાટણ બેઠકમાં ભાજપના ઉમેદવાર ભરતજી ડાભી અને આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ(બકા) પટેલની જીત સામે પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે અને પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને આણંદની બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભાજપ કરતાં વધુ મજબૂત પુરવાર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે, આ સિવાયની અન્ય 24 બેઠક પર ભાજપ વિજય મેળવશે.
જ્યારે સમગ્ર દેશમાં હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવાર અમિત શાહ હાલના સાંસદ અડવાણીની 4,83,000ની લીડ કરતાં વધુ મત મેળવશે કે કેમ? તે અંગેનો બારીકાઈથી સર્વે કરવામાં આવતા ગાંધીનગર લોકસભાની બેઠકમાં આવતી ત્રણ વિધાનસભા સાણંદ,કલોલ અને ગાંધીનગરમાં જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપની કમિટેડ બેઠક ગણાતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકના આધારે જ અમિત શાહની લીડનો આંકડો વધી કે ઘટી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments