Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 દિવસ પહેલાં જ લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચ્યા, શું સરકાર છુટ આપશે?

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:18 IST)
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે અને તેની સામે રસીકરણ પણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર ભાદરવી પૂર્ણિમા તથા નવરાત્રિ જેવાં પ્રસંગોને લઇને કેટલીક છૂટછાટ જાહેર કરી શકે છે. એક જ મહિનામાં કુલ 200 સંઘ અંબાજી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત રીતે યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે છે. માત્ર પરંપરાગત રીતે વર્ષોથી આવતાં પગપાળા સંઘોમાં અમુક સંખ્યામાં લોકોને જ ભાદરવી પૂર્ણિમાએ ધજા ચઢાવવા અને દર્શન કરવાની મંજૂરી મળી શકે છે. અહીં બેકાબૂ ભીડ ન થાય તે માટે વિવિધ સંઘના પચીસેક લોકોને જ અગાઉથી કરેલી નોંધણી પ્રમાણે છૂટ આપવાનો વિચાર કરાઈ રહ્યો છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરબા અને નવરાત્રિની પરંપરા જળવાય તે હેતુથી કોમર્શિયલ ગરબા આયોજનને બદલે શેરી ગરબાની મંજૂરી આપવા અંગે સરકારનું વલણ નરમ છે. જો કે આ સ્થળોએ ગરબા અમુક કલાકો પૂરતાં જ યોજી શકાશે અને ગરબામાં આયોજકો તથા ભાગ લેનારાં સૌએ માસ્ક, ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments