Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રાઈડ દુર્ઘટના મામલો: હવે ઠરીને ઠામ કરવાના પ્રયાસ

Webdunia
શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:11 IST)
શહેરના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી નામની રાઈડ તૂટ્યાના ચાર દિવસ બાદ પણ બે લોકોનાં મોત માટે જવાબદાર કોણ છે તે સામે આવ્યું નથી. જ્યારે પોલીસ દ્વારા પણ હવે તપાસની તમામ બાબતો છુપાવવામાં આવી રહી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમ જ મીડિયા સાથે કોઈપણ વાત કરવાનો અને માહિતી આપવાનો ઈનકાર કરી રહ્યા છે. મનપા, આર એન્ડ બી વિભાગ અને પોલીસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી મામલો રફેદફે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. માત્ર એટલું જ નહીં તા.૧૭ જુલાઈના રોજ એફએસએલનો રિપોર્ટ આવ્યો હોવા છતાં આ રિપોર્ટ મીડિયાને ન આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ જ સત્તાવાર રીતે રાઈડ તૂટવા પાછળનું નક્કર કારણ પણ આપવામાં આવ્યું નથી. આ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં આર એન્ડ બી વિભાગ અને કોર્પોરેશનના નિવેદનો આવ્યા હતા. પણ પોલીસ ચૂપકીદી સેવી રહી છે. તેમ જ આ મામલો ‘ઉપરના લેવલે’ જ દબાવી દેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું હતું. પૂર્વ કોર્પોરેટર મહેન્દ્રના ભાઈ ઘનશ્યામને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments