Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hit and run - શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જતાં ભાઇ-બહેનને કારે ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:56 IST)
રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસેથી સામે આવી છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક બાળકી પોતાના પિતરાઇ ભાઇને લઇને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા લઇને જતી હતી ત્યારે ઇનોવા કારે ટક્ક મારી બંન્ને ભાઇ બહેનનો જીવ લીધો છે.આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે આજે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની બાળકી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી તેવા સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ હડફેટે લેતા ઘટના સ્થળે જ બંને બાળકોના મોત નીપજ્યા હતા.

આ ગોજારી ઘટના બનતા જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતહેદનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર પુરઝડપે આવી હતી અને બન્ને બાળકોને હડફેટે લઈ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે, કાર ચાલક નાશી છૂટ્યો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments