Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત એસ.ટી નિગમના 800 કર્મચારીઓ સંક્રમિત થયા, 150 થી વધુ કર્મચારીઓ એ જીવ ગુમાવ્યો, સરકાર પાસે વળતરની માંગ કરી

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (17:19 IST)
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર સંક્રમિત છે. આ 800 માંથી 150 કર્મચારીઓ એ પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે.આજે  એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી  મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી. આ મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળ માં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments