Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફૂડમાંથી જીવજંતુ નીકળવાની છઠ્ઠી ઘટનાઃ હવે જૈન ગૃહઉદ્યોગના અથાણાંમાંથી ગરોળી નીકળી

Webdunia
શુક્રવાર, 28 જૂન 2024 (17:54 IST)
lizard
 ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી ફૂડમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. 10 દિવસમાં ફૂડમાંથી જીવજંતુ નિકળવાના 6 કિસ્સાઓ બન્યાં છે. ત્યારે હવે અમદાવાદમાં જૈન ગૃહ ઉદ્યોગના અથાણાંમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે.શહેરના જોધપુર વિસ્તારમાં આવેલાં જૈન ગૃહઉદ્યોગમાંથી એક મહિના પહેલાં આ અથાણું ખરીદ્યું હતું અને રોજબરોજ ખાતા હતા. જેમાં એકદમ નીચેના ભાગે પહોંચતા તેમાંથી ગરોળી નીકળી હતી. આ અથાણાંના કારણે પરિવારને દર બે દિવસે ઝાડા-ઊલ્ટીની પણ અસર થતી હતી. જેનું કારણ અથાણાંથી ગરોળી હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું.
 
વેજલપુરથી અથાણું ખરીદ્યું હતું
અમદાવાદનાના જોધપુર વિસ્તારમાં રહેતાં પરિવારે 28 મેના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. દરરોજ થોડું-થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું. 27 જૂને ગુરૂવારે જ્યારે બરણીમાંથી અથાણું કાઢ્યું, ત્યારે છેલ્લા ભાગમાં નાનકડી ગરોળી નીકળી હતી. આ અથાણું સાણંદના શુભ અથાણાં ભંડાર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 
lizard in Jain home industry's pickles.
એક મહિના પહેલા આ અથાણાનો ડબ્બો ખરીદ્યો હતો
ભોગ બનનાર પરિવારના હીનાબેન રાવલે જણાવ્યું હતું કે, અમે એક મહિના પહેલા આ અથાણાનો ડબ્બો ખરીદ્યો હતો. અડધા ઉપર અમે અથાણું ખાધા બાદ ગઈકાલે જ્યારે રાત્રે અથાણું ખાવા માટે કાઢ્યું અને જોયું તો તેમાં ગરોળી નીકળી હતી. પહેલા અમને એવું લાગ્યું કે, કેરીનો કોઈ ટુકડો હશે, પરંતુ તે ગરોળી નીકળી હતી. જ્યારે અમે કેરીનું અથાણું જે સાણંદ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું તે કંપનીમાં ફોન કર્યો તો તેઓ અમને કોઈ સરખો જવાબ આપ્યો નહોતો. માત્ર અમે ડબ્બો બદલી આપીએ એવું કહી દીધું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments