Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 5 મહિનામાં 47 ફોન લૂંટનારી ગેંગ પકડાઈ, ફોન ખરીદનાર 2 વેપારીની પણ ધરપકડ

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (11:12 IST)
પશ્ચિમ અમદાવાદમાં રાહદારીઓના હાથમાંથી ફોન લૂંટીને ભાગી જતા રિક્ષાચાલક અને સાગરીતની ઝોન 7 એલસીબીએ ધરપકડ કરી છે. આ બંનેએ 5 મહિનામાં જ મહિલાઓ, પુરુષો પાસેથી અંદાજે 4 લાખની કિંમતના 47 ફોન ચોરી મોડાસામાં દુકાન ધરાવતા 2 વેપારીને વેચ્યા હતા. પોલીસે બંને સ્નેચર અને મોડાસાના 2 વેપારી સહિત 5ની ધરપકડ કરી રિક્ષા, ફોન મળી 4.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સેટેલાઇટ, આનંદનગર, વાસણા, પાલડી, વેજલપુર સહિતના વિસ્તારોમાં બની રહેલી મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓમાં રિક્ષાચાલક અને સાગરીતો સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે પુરવાર થયું હતું, જેના આધારે ઝોન-7 ડીસીપી બી. યુ. જાડેજાના તાબા હેઠળની લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ આર. પી. વણઝારાએ તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસે રિક્ષાચાલક મોહંમદ સલીમ શેખ, તેના સાગરીત એઝાઝખાન પઠાણને ઝડપી લીધા હતા.બંનેની પૂછપરછ કરતા તેઓ રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી તેમના મિત્ર મોસીન શેખ મારફતે મોડાસામાં ફોનની દુકાન ધરાવતા મોહંમદ રફીક સુથાર અને મુસ્તકીમ હબીબુલ રહેમાન સુથારને વેચતા હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે તે ત્રણેયને પણ ઝડપી લીધા હતા. થોડા દિવસ પહેલા યુથ કોંગ્રેસના ડ્રગ્સ વિરોધી કાર્યક્રમમાં ચોરાયેલો કાર્યકરનો 1.18 લાખનો ફોન પણ તેમની પાસેથી મળ્યો છે. આ ટોળકીનો એક શેરખાન ઉર્ફે બાલમ પઠાણ હજુ પકડાયો નથી. તે જાહેર સભા, સરઘસ, રેલીમાંથી લોકોના ફોન ચોરતો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments