Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને, 45 પાકિસ્તાની હિન્દુઓ મોરબી પહોંચ્યા

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2023 (11:42 IST)
મોરબીમાં 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો આવી પહોંચતા વહિવટી, ટુરીસ્ટ વિઝા પર હરિદ્વાર આવેલા પાકિસ્તાની નાગરિકો સગાવહાલાંને મળવા બનાસકાંઠા પહોંચ્યા બાદ ત્યાં રહેવાની તંત્રએ ના પાડતા મોરબી આવી પહોંચ્યા
 
પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા લઈને આવેલા ૪૫ હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચતા મોરબી જિલ્લાનું વહિવટી તથા પોલીસ તંત્ર દોડતું થયું છે. મોરબીમાં આવેલ કોળી ઠાકોર 
જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે. અને તેઓ શરણાર્થી તરીકે રહેવા માંગતા હોય તેવી માંગ કરી રહ્યાં છે. જે મામલે ઠાકોર સમાજના અગ્રણીોએ કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.
 
બનાસકાંઠાથી ગત રાત્રીનાં 45 જેટલા પાકિસ્તાની હિંદુ નાગરિકો મોરબી આવી પહોંચ્યા છે. તેઓ પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને આવ્યા હતાં. જેઓ બનાસકાંઠા તેમના સગા વહાલાંને મળવા આવ્યા બાદ મોરબી પહોંચી ગયા છે. ૪૫ નાગરિકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે તેઓ રોકાયા છે. આ અંગે કોળી સમાજ આગેવાનોએ તંત્રને જાણ કરી હતી કે, તેઓ પાકિસ્તાની નાગરિકો છે. અને ભારતમાં શરણ માંગી રહ્યાં છે. ભારત સરકાર તેમને મોરબીમાં આશરો આપે તેવી માંગ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments