Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પરપ્રાંતિય મજૂરોએ કરી તોડફોડ, વાહનોને લગાવી આગ

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (10:29 IST)
લોકડાઉનના લીધે સુરતમાં ફસાયેલા અનેક પરપ્રાંતિય મજૂરોએ શુક્રવારે રાત્રે તોડફોડ કરી અને વાહનોને આગ લગાવી દીધી. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ લોકો પોતાના ઘરે પરત ફરવા માટે વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને પોતાનો પગાર પણ જલદી ચૂકવવાની માંગ કરી રહ્યા છે. 
લોકડાઉન દરમિયાન નવરા બેસેલા શ્રમિકોએ શુક્રવારે સુરતમાં બે સ્થળો પર હોબાળો મચાવ્યો હતો. ડાયમંડ બુર્સમાં નિર્માણ અને લસકાનમાં વણકરો રસ્તા પર ઉતર્યા હતા. તેમનું કહેવું હતું કે લોકડાઉન યથાવત રહેશે તો ગુજરાત કેવી રીતે ચાલશે. કામ શરૂ કરાવવામાં આવે તો ઘરે જવા દેવામાં આવે. વણકરોએ શાકભાજીની 5 લારીઓને આગ લગાવી દીધી. અને ટાયર પણ સળગાવ્યા. એમ્બુલન્સમાં તોડફોડ કરી અને રાહદારીઓની ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. 
સુરતના ડીસીપી રાકેશે બારોટે જણાવ્યું કે સુરતમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોએ રસ્તો જામ કર્યો અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની ધરપકદ કરી છે. આ તમામ લોકો ઘરે પરત જવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments