Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરી થશે

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (12:39 IST)
રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. જેના અંતર્ગત ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે CM વિજય રૂપાણી સુરેન્દ્રનગર ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગર ખાતે અને ડે. સીએમ નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે. ગુજરાતના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં આર.સી.ફળદુ, અમદાવાદ ખાતે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ ખાતે, કૌશિક પટેલ સુરત ખાતે, સૌરભ પટેલ મહેસાણા ખાતે, ગણપતસિંહ વસાવા દાહોદ ખાતે, જયેશ રાદડિયા જામનગર ખાતે, દિલીપ ઠાકોર કચ્છ ખાતે, ઇશ્વર પરમાર ભરૂચ ખાતે, કુંવરજી બાવળિયા અમરેલી ખાતે ધ્વજવંદન કરાવશે.
જયારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં  પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ ખાતે, પરબત પટેલ બનાસકાંઠા ખાતે, બચુ ખાબડ પંચમહાલ ખાતે, જયદ્રથસિંહ પરમાર ખેડા ખાતે, ઇશ્વરસિંહ પટેલ વલસાડ ખાતે, વાસણભાઇ આહિર પાટણ ખાતે, વિભાવરી દવે સાબરકાંઠા ખાતે, રમણ પાટકર આણંદ ખાતે અને કિશોર કાનાણી નવસારી ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે, એમ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments