Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલના કાફલાને હળવદ નજીક અકસ્માત: 6 પાટીદારને ઇજા

Webdunia
શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:01 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હાલમાં સોમનાથ યાત્રાએ નિકળ્યાં છે. તેમની સાથે 180થી પણ વધુ ગાડીઓનો કાફલો છે. ત્યારે હળવદ નજીક હાર્દિક પટેલના કાફલાને આજે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જેટલા વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ રોડ-શો દરમિયાન એક ગાડીમાંથી એક વ્યક્તિ પડી ગઈ હતી. એ કારણે એ ગાડીએ બ્રેક મારતા એક પછી એક 6 જેટલી ગાડી અથડાઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કસ્માતમાં ઇજા પામનારમાં અંકિત પટેલ, રાહુલ પટેલ, કમલેશ પટેલ, પ્રિતેશ પટેલ, નિલેશ પટેલ સહિત 6ને ઇજા થતાં 108 મારફતે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે તમામને નાની-મોટી ઇજા થઇ હતી. પણ તેમ છતાં પાટીદાર આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે દ્વારા 182થી વધુ ગાડીઓના કાફલા સાથે અમદાવાદથી સોમનાથ સુધી અનામત અધિકાર સંકલ્પ યાત્રા યોજી છે. જેનો આજે બીજો દિવસ છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments