Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારો પર અત્યાચાર કરનાર પોલીસ પાસેથી વ્યાજ સહિત હિસાબ લઈશ - હાર્દિક પટેલ

Webdunia
સોમવાર, 28 ઑગસ્ટ 2017 (12:47 IST)
ઉત્તર ગુજરાતના પાટણ ખાતે શનિવાર રાત્રે એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ હેઠળ યોજાયેલ વિશાળ પાટીદાર સભાને સંબોધન કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમિત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા માટે અમે તૈયાર છીએ.  જે પોલીસવાળાએ પાટીદાર પર અત્યાચાર કર્યો એનો વ્યાજ સહિત હિસાબ લેવાનો છું. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ પટેલ પણ મંચ ઉપર ઉપસ્થિત હતાં.

હાર્દિક પટેલે જંગી સભાને સંબોધતા જણાવ્યું હતું કે મેં જે સામાજીક સંસ્થામાં કામ કરવાની શરુઆત કરી એ SPG અને મારા તમામ સાથીઓનો આભાર માનું છું. 44 ધારાસભ્યો પટેલ હોય, 7 કેબીનેટ મિનિસ્ટર હોય, ડેપ્યુટી સીએમ હોય તો પણ સમાજની વ્યથા એમને ન દેખાય તો એ પટલાણીના પેટે જન્મેલા ન હોય. 200 માણસો ભેગા કરવાની તાકાત નથી એ 15 કરોડ રૂપિયામાં વેચાય છે અને જે લોકો લાખો લોકો ભેગા કરી શકે એની સામે પૈસાનો ઢેર નકામો પડે છે. અમને સત્તાની લાલચ હજુ પણ નથી. ભૂતકાળ જોઈ લેજો વડાપ્રધાન પદને પાટુ મારીને આવ્યા હતાં. અમારી એક જ માંગ છે અનામત જોઇએ છે તમે જ્યાંથી લાવો ત્યાંથી જોઈએ છે,ચાહે નરેન્દ્ર મોદીના ખિસ્સા માંથી લાવો તો પણ તૈયાર છીએ, અમિત શાહની બંદુકની ગોળીમાં છે તો પણ લેવા તૈયાર છીએ.  હાર્દિક પટેલે સભાને સંબોધિત કરતાં એમ પણ કહ્યું હતું કે પાટીદારોએ કોંગ્રેસને એક મોકો આપવો જેથી કોંગ્રેસ પાટીદારો પર વિશ્વાસ મુકે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ પાટીદાર ધારાસભ્યો વેચાયા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments