Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (14:34 IST)
ભાજપનાં વરિષ્ઠ નેતા અને યુપીના સુલ્તાનપુરનાં સાંસદ મેનકા ગાંધીએ પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીને ટિકિટ ન આપવા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરમાં પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ ભાજપમાં રહીને ખુશ છે.
 
મેનકા ગાંધીએ કહ્યું, “ભાજપમાં છું એટલે ખુશ છું. હું અમિત શાહ, પીએમ મોદી તથા નડ્ડાજીનો ટિકિટ આપવા બદલ આભાર પ્રકટ કરું છું. ટિકિટનું એલાન મોડું થયું તેથી દુવિધા હતી કે હું ક્યાંથી લડીશ, પીલીભીતથી કે સુલ્તાનપુરથી? પણ પાર્ટીએ જે નિર્ણય લીધો તેનાથી હું ખુશ છું.”
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધીને ટિકિટ નથી આપવામાં આવી ત્યારે તેઓ શું કરશે? તો તેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, “આ સવાલ તમે તેમને જ પૂછો કે તેઓ શું કરશે? અમે ચૂંટણી બાદ તેના પર વિચાર કરીશું. અત્યારે સમય નથી.”
 
તેમણે કહ્યું કે તેઓ સુલ્તાનપુર આવવાથી ખુશ છે કારણ કે કોઈ પણ સાંસદે અહીં બીજીવાર ચૂંટણી નથી જીતી.
 
ટિકિટ મળ્યા બાદ તેઓ સુલ્તાનપુર પહેલીવાર આવ્યાં હતાં. તેઓ પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન પોતાના લોકસભા વિસ્તારમાં 101 ગામોની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments