Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિવાદોમાં રાહુલની કૈલાશ માનસરોવર યાત્રા, નૉનવેજ ખાવાને લઈને છેડાઈ જંગ

Webdunia
મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (15:18 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન દિવસોમાં કૈલાશ માનસરોવરની તીર્થયાત્રા પર નીકળ્યા છે. જોકે તેમની આ યાત્રાને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે.  ઉલ્લેખનીય છે કે નેપાળ પહોંચતા રાહુલ ગાંધીએ કાઠમાંડુએ આનંદ ભવન સ્થિત વૂટુ ફુડ બુટિકમાં જમ્યા. જ્યારબાદ નેપાળી મીડિયાએ દાવો કર્યો કે તેમણે ત્યા નૉનવેઝ ખાધુ છે.  બીજી બાજુ આ સમાચાર  વાયરલ તહ્તા જ રેસ્ટોરેંટે સ્પષ્ટતા આપી કે રાહુલે નૉનવેઝ ફુડ ઓર્ડન નહોતુ કર્યુ. 

Vootoo Food Voutiqueએ પોતાના ફેસબુક પેજ પર સફાઈ આપતા કહ્યુ કે રાહુલ ગાંધીના નોનવેજ ખોરાકને લઈને કરવામાં આવેલ દાવા એકદમ ખોટા છે.  તેમના દ્વારા ઓર્ડર કરવામાં આવેલ ખોરાકને લઈને મીડિયા તરફથી સવાલ કરવામાં આવી છે. અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે તેમને મેનુમાં શુદ્ધ શાકાહારી ભોજન ઓર્ડર કર્યુ હતુ.   રેસ્ટેરેંટે રાહુલ ગાંધીની ફોટો પણ પોસ્ટ કરી છે. જે સાથે લખ્યુ છે કે તેમણે વેજ થાલી સંડેકો વેજ પ્લેટર ઓર્ડર કરી હતી. તેમા અનેક પ્રકારના શાક અને સાગ પીરસવામાં આવે છે.  રેસ્ટોરેંટ મુજબ કોંગ્રેસ અધ્યક્ષે અચારી આલુ અને સાદુ વેજ ફુડ ખાધુ. જેમા ક્રિસ્પી કોર્ન વગેરેનો સમાવેશ હતો. 
 
 બીજી બાજુ એક વેટરે એક ભારતીય મીડિયાને જણાવ્યુ કે રાહુલ ગાંધીએ નેવારી ડિશ ખાધી હતી. જેના હેઠળ ચિકન મોમો, ચિકન કુરકુરે અને બંદેલની ડિશ ઓર્ડર કરી હતી. સમાચારમાં જણાવ્યું છે કે 30મી ઑગસ્ટના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાઠમંડુમાં હતા અને એ રાત્રે જ તેમણે અહીંની વુટુ રેસ્ટોરાંમાં નૉનવેજ જમ્યા. વેટરનું નિવેદન પણ સામે આવ્યા બાદ હોટલ મેનેજમેન્ટે આ સમાચારને અફવા ગણાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments