Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MaharashtraBandh LIVEપ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:27 IST)
પુણેમાં ભીમા કોરેગાવ લડાની 200મી વર્ષગાંઠના નિમિત્તે થયેલ હિંસાને લઈને બુધવારે મહારાષ્ટ્ર બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. 
 
મહારાષ્ટ્ર બંધ Live Updates.... 

- પ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી દીધી છે 
- લોકસભામાં કોંગ્રેસે પુણે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ હિસા પાછળ આરએસએસનો હાથ છે. 
- દિલ્હીના મહારાષ્ટ્ર સદનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.. અહી 1 વાગ્યે પુણે હિંસા વિરુદ્ધ પ્રદર્શન થવાનુ છે. 
- કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલનારી 700 બસોને કેંસલ કરવામાં આવી છે. 

- નાલાસોપારા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ટ્રેક પર રેલ રોકો પ્રદર્શન કરી રહ્યા છે. સુરક્ષા અધિકારી તેમને ત્યાથી હટાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
- બંધને કારણે ઓટો રિક્ષા ચાલક પણ પ્રભાવિત. મુલુંડમાં ડ્રાઈવરોએ જણાવ્યુ કે તેઓ આ બંધનુ સમર્થન ફક્ત એ માટે કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે જો તેમણે ઓટો કાઢી તો તેના વિરોધમાં તેમના પર હુમલો પણ થઈ શકે છે. 
 
- બેસ્ટ ની બસો આજે આ રૂટ પર નહી ચાલે.. કાંદીવલી-અકુર્લી, ડિંડોશી-હનુમાન નગર, ચાંદીવલી-સંઘર્ષ નગર, ખૈરાની રોડ-સાકીનાકા, સાહર કાર્ગો, મુલુંડ ચેક નાકા, જીજામાતા નગર 

- ઔરંગાબાદમાં ઈંટરનેટ સુવિદ્યા બંધ, બસ સેવાઓ પણ થઈ પ્રભાવિત 
 
- પુણેના અબાસાહેબ ગરવરે કોલેજ પણ આજે બંધ છે. અહી નોટિસ લગાવીને માહિતી આપવામાં આવી છે. આજે કોઈ પણ પ્રેક્ટિકલ અને લેક્ચર નહી થાય 
- સીએનએન ન્યૂઝ18 મુજબ આજે લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ ભીમા-કોરેગાવ 
હિંસા પર બોલશે. 
 
- આગામી આદેશ આવતા સુધી પુણેના બારામતી અને સતારા તરફ જનારી બસોને કેંસલ કરવામાં આવી છે. 
- મુંબઈના ડબ્બાવાળા પણ આજે પોતાની સેવા બંધ રાખશે. એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તાલેકરે જણાવ્યુ કે ટ્રાંસપોર્ટની સુવિદ્યા અટવાય જવાથી ડબ્બાની ડિલીવરી ટાઈમ પર નથી થઈ શકતી તેથી અમે આ નિર્ણય લીધો છે. 
- મહારાષ્ટ્રમાં જ્યા એક બાજુ શાળા બધ છે તો બીજી બાજુ શાળા બસ ઓનર્સ એસોસિએશનના અનિલ ગર્ગે પણ બાળકોની સુરક્ષા સાથે સમજૂતી ન કરતા બસ ન ચલાવવાનો નિર્ણય કર્યો છે.  તેમણે જણાવ્યુ કે આજે મુંબઈમાં શાળાની બસો નહી ચાલે. બાળકોની સુરક્ષાને સંકટમાં નથી નાખી શકતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments