Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વરસાદી સ્થિતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા

bhupendra patel
bhupendra patel
 
SEOC ખાતે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને NDRF-SDRF તહેનાત 

 
આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિ સામે રક્ષણ અને સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા માટે NDRF અને SDRFની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સંપૂર્ણ સજ્જ અને સતર્ક રહેવા આદેશ આપ્યા છે.
 

 દક્ષિણ ગુજરાતમાં રાહત અને પુનર્વસન કામગીરી 

 
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં હવે રાહત અને પુનર્વસન કામગીરી પર ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકો માટે કેશ ડોલ્સની ચુકવણી શરૂ કરી દેવાઈ છે, અને ઘરવખરીના નુકસાન સામે આપવામાં આવતી નાણાકીય સહાય પણ ઝડપથી ચૂકવવા માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
 

સ્થળાંતર, નુકસાની અને આરોગ્ય સંબંધિત આદેશો 

 
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લીધે સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે પ્રાથમિક રિપોર્ટ મુજબ 308 પશુઓના મોત નોંધાયા છે. મુખ્યમંત્રીએ પૂરના પાણી ઓસર્યા બાદ તુરંત જ સફાઈ અભિયાન હાથ ધરવા, આરોગ્યસંભાળના પગલાં લેવા અને નુકસાનીનો સર્વે શરૂ કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે.
ALSO READ: કૉકરોચ જનતા પાર્ટીનુ ધરણા પ્રદર્શન પુરૂ, સરકારે બધી શરતો માની, પ્રદર્શનકારીઓ પર નહી થાય કોઈ એક્શન

વરસાદના આંકડા અને જળાશયોની વર્તમાન સ્થિતિ

રાહત કમિશનરના જણાવ્યા મુજબ, જુલાઈ 2025ના સરેરાશ વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં વલસાડમાં 93%, નવસારીમાં 97%, ડાંગમાં 71%, સુરતમાં 81%, અમદાવાદમાં 66% અને અમરેલીમાં 63% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય, સમગ્ર રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ 53.14% જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં પર વર્લ્ડ મીડિયા : BBC બોલ્યું, વિદ્યાર્થીઓ આગળ નમી મોદી સરકાર, ગાર્ડિયને લખ્યું - લોકોના દબાવમાં 12 વર્ષમાં પહેલું રાજીનામું