Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips in Gujarati - ચોમાસામાં કપડાની દુર્ગંધથી છો પરેશાન ? જાણો દૂર કરવાની સહેલી રીત

How to get rid of musty smell odour from clothes

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (18:11 IST)
Monsoon Tips in Gujarati - વરસાદની ઋતુમાં લોકોને ઘણીવાર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આમાંની એક સમસ્યા કપડામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા છે. આ સમસ્યાના કારણે લોકોને કપડાની પસંદગી કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. કારણ કે જે કપડા ગમતા હોય તે કપડા ભીના હોય અથવા તો સૂકાય તો તેમાથી વિચિત્ર દુર્ગંધ આવે છે. ઓછા સૂર્યપ્રકાશને કારણે કપડાં મોડા સુકાય છે, આવી સ્થિતિમાં ધૂળવાળા કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. કપડાની દુર્ગંધને કેટલીક ટિપ્સ અપનાવીને દૂર કરી શકાય છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે તમે વરસાદની સિઝનમાં કપડાની દુર્ગંધને કેવી રીતે દૂર કરી શકો છો. આગળ વાંચો…
 
કપડામાંથી દુર્ગંધ દૂર કરવાની ટિપ્સ 
 
- જો તાપ ઓછો નીકળતો હોય અને કપડા મોડા સુકાઈ રહ્યા હોય તો તમે તમારા કપડાને પંખા નીચે સૂકવી શકો છો. આમ કરવાથી કપડાંમાંથી ભેજ તો દૂર થશે જ, સાથે જ તેની દુર્ગધ પણ ઝડપથી દૂર થઈ જશે.
- તમે કપડાને સૂકવવા માટે હેંગર્સનો પણ ઉપયોગ કરી શકો છો. હેંગરના ઉપયોગથી કપડાંને હવા તો લાગશે જ, પરંતુ બારીમાંથી આવતી હવા કપડાંને પણ ઝડપથી સુકવી દેશે.
- લીંબુના રસના ઉપયોગથી કપડાંની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે કપડાં ધોઈ લો, તેના પછી એક ડોલમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેનાથી તમારા કપડાં ફરીથી ધોઈ લો. આમ કરવાથી કપડાંની દુર્ગંધ તો દૂર થશે જ, સાથે જ કપડામાંથી ખોટા બેક્ટેરિયા પણ દૂર થશે.
- વિનેગર અથવા મીઠા સોડાના ઉપયોગથી પણ કપડાની દુર્ગંધ દૂર કરી શકાય છે.
-  આવી સ્થિતિમાં, જ્યારે તમે કપડાં ધોઈ લો, તે પછી એક ડોલમાં વિનેગર અથવા મીઠા સોડા મિક્સ કરો અને કપડાંને થોડીવાર માટે પાણીમાં ડુબાડી રાખો. આમ કરવાથી કપડામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments