Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cockroach Remedies: શુ તમારા ઘરમાં પણ ફરી રહ્યા છે કોકરોચ તો આ ઉપાયથી મળશે તરત જ છુટકારો

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2022 (00:48 IST)
Cockroach Remedies:આપણા ઘરના રસોડામાં મોટાભાગે વંદા જોવા મળે છે. આ બિનઆમંત્રિત મહેમાનો તેમના પોતાની હાજરીથી રસોડાનો  દેખાવ બદલી નાખે છે. જો તમારા રસોડામાં કોકરોચ છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે  રસોડામાં કોકરોચ હોવાને કારણે, તમને તમારા સ્વાસ્થ્યથી લઈને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તે નાળુ અને ગટરમાંથી બહાર નીકળીને તમારા ઘર સુધી પહોંચે છે, પછી તે તમારા ભોજન સુધી ફરતા રહે છે, જેના કારણે હાનિકારક બેક્ટેરિયા આ ભોજન સુધી પહોંચે છે, જે માનવ શરીર માટે હાનિકારક છે. તેથી ઘરના રસોડામાંથી વંદાનેબહાર કાઢવા જરૂરી બની જાય છે. તો જો તમારા રસોડામાં કે ઘરમાં વંદા છે તો આ ઘરેલું ઉપાયોથી તરત જ તેનાથી છુટકારો મેળવો.
 
લીમડાના પાનથી કોકરોચના ત્રાસથી મળશે છુટકારો 
લીમડાના ઝાડના અનેક ફાયદા છે. જો તમે ઘરમાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ લીમડો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વંદા ભગાડવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તે લીમડાના પાણીને વંદાઓના સ્થાન પર છાંટો. આ ટ્રિકથી રસોડામાંથી કોકરોચ દૂર થઈ જશે.
 
કેરોસીન વડે કોકરોચથી છુટકારો મેળવો
જો તમે તમારા રસોડામાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે કેરોસીન તેલનો સહારો લઈ શકો છો. એક રેખા દોરો જ્યાં વંદો સૌથી વધુ દેખાય. પછી ત્યાં કેરોસીન છાંટવું. કેરોસીનની વાસના કારણે રસોડામાંથી કોકરોચ ભાગી જશે.
 
ખાવાનો સોડા  છે ખૂબ અસરકારક
બેકિંગ સોડા ઘરમાંથી વંદા દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને કોકરોચ બહુ પરેશાન કરી રહ્યા હોય તો બેકિંગ સોડામાં ખાંડ મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ પછી આ મિશ્રણ જ્યાં વંદા વધુ આવે ત્યાં  મૂકો. ખાંડ કોકરોચને આકર્ષિત કરશે પરંતુ તેને ખાવાનો સોડા સાથે ભેળવીને તેમના માટે ઝેરનું કામ કરશે અને તે મરી જશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments