Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - અસ્થમાથી લઈને દિલની બીમારીઓ સુધી દરેકમાં લાભકારી છે કેસરનુ સેવન

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (11:37 IST)
ભારતીય રસોઈમાં કેસરનો ઉપયોગ અનેક પકવાનોમાં સુગંઘ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનુ સેવન સુંદરતાની સાથે સાથે અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર કરે છે.  વિટામિન એ ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મૈગનીઝ, સેલેનિયમ, જિંક અને મેગ્નેશિયમના ગુણોથી ભરપૂર કેસર શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. કેસરનુ સેવન ડાયાબિટીઝથી લઈને અસ્થમા સુધીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. આજે અમે તમને કેસરના કેટલાક આવા જ ફાયદા વિશે બતાવીશુ. જેના 
વિશે કદાચ જ તમે જાણતા હોય. તો ચાલો જાણીએ સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર કેસરના ચમત્કારી ગુણ... 
 
1. દિલ માટે લાભકારી - કેસરનુ સેવન રક્ત પ્રવાહને ઠીક રાખે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેનાથી તમે દિલની બીમારીઓથી બચ્યા રહો છો. 
 
2. ડિપ્રેશન - તેમા રહેલ ન્યૂરોટ્રાંસમીટર ડોપામાઈન, સેરોટોનિન અને નૉરપેનેફ્રિન મગજ કોસ્ટેમ્ટિક પદાર્થ અને તમારા મૂડને પ્રભાવિત કરે છે.  તેનાથી તમારી ડિપ્રેશનની પરેશાની દૂર થાય છે. 
 
3. માસિક ધર્મ - કેસરમાં રહેલા ગુણ માસિક ધર્મના સમયે થનારી સમસ્યાઓને દૂર કરે છે. પીરિયડ્સના સમયે કેસરનુ દૂધ કે ચા પીવાથી દુખાવો, ચિડચિડાપણું સોજો અને અકડન જેવી સમસ્યા થતી નથી. 
 
4. પેટની સમસ્યા - પેટનો દુખાવો, ગેસ, એસિડીટી કે અલ્સરની સમસ્યાને દૂર કરવા માટે પણ તમે કેસરનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 કપ પાણીમાં કેસરને સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ તેમા મધ નાખીને રોજ પીવો. 
 
5. અસ્થમાથી બચાવ - બદલતી ઋતુમાં અસ્થમાની બીમારીથી પીડિત લોકોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. આવામાં કેસરવાળુ દૂધ પીવાથી અસ્થમાની સમસ્યા ધીરે ધીરે ઓછી થવા માંડે છે. 
 
6. આંખોની રોશની વધે - આજકાલ વૃદ્ધોથી લઈને બાળકો સુધી દરેકને ઓછુ દેખાવવાની સમસ્યા ઉભી થઈ રહી છે.  તેથી રોજ કેસરનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે ઉપરાંત ચશ્માનો નંબર પણ ઉતરી જાય છે. 
 
7. તેજ મગજ - એક શોધ મુજબ રોજ કેસરવાળુ દૂધ કે ચા પીવાથી યાદશક્તિ વધે છે. આ ઉપરાંત અલ્જાઈમરની બીમારીમાં પણ આનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments