Dharma Sangrah

Be careful આ ફળ ખાવાથી તમારુ વજન વધશે

Webdunia
શનિવાર, 4 ઑગસ્ટ 2018 (10:50 IST)
ઘણીવાર આપણે કોઇ ફળના ફાયદા વિષે જાણ્યા પહેલા જ તેને ખાવાનું શરૂ કરી દે છે. આપણને લાગે છે કે ફળ ખાવા આપણા માટે સુરક્ષિત છે અને તેનાથી વજન વધતું નથી એમ માનીને ફળ ખાવાને બદલે તેનું જ્યુસ પીવાનું શરૂ કરી દઇએ છીએ. પણ આ એક ભ્રમ છે કે ફળો ખાવાથી વજન વધતું નથી. આપણને માલુમ હોવું જોઇએ કે કયું ફળ ખાવાથી તેમાંથી કયા પોષકતત્વો મળશે. કેટલાક ફળો એવા પણ છે જે વધુ ખાવાથી વજન વધવાની અને સ્થૂળ થઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. જાણીએ વિવિધ ફળો વિષે...

કેળા દૂધ સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. કારણ કે દૂધમાંથી તમને પ્રોટીન અને કેળામાંથી શુગર મળે છે જે વજન વધારે છે. કેળું ખાવાથી વધુ માત્રામાં કેલરી મળે છે સાથે કેલરીનો ક્ષય પણ ઓછો થવા લાગે છે.

ડ્રાય એપ્રિકો ટ( જરદાળુ) - સૂકા જરદાળુ કેન્ડી જેવા હોય છે તેને લોકો હરતા-ફરતા પુષ્કળ માત્રામાં ખઆઇ લે છે. પણ તેઓ ભૂલી જાય છે કે તેમાં ફ્રૂકટોઝ હોય છે જે વજન વધારનારું તત્વ છે. તે ખાવાથી વજન વધવાની સંભાવના પણ વધી જાય છે.

દ્રાક્ષ  -  દ્રાક્ષ એક તરફ જ્યાં ફાયદાકારક હોય છે ત્યાં બીજી તરફ તેના વધુ પડતા સેવનથી તમારું વજન વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે માટે તે ખાવાથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે.

અનાનસ -  જે લોકો અનાનસનું સેવન કરે છે તેમના માટે અનાનસ વજન વધવાનું કારણ બની શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા વધુ હોય છે.

એવોકેડો ઝ( avocados) -  આ ફળમાં વધુ માત્રામાં ફેટ અને કેલરી હોય છે જે ખાવાથી તમારું વજન વધી શકે છે.

ડ્રાયફ્રુટ્સ -  ડ્રાયફ્રુટ્સ જેવા કે કિશમિશ, બદામ વગેરેમાં મોટી માત્રામાં કેલરી હોય છે જે ખાવાથી વજન વધે છે.

ફળોનું જ્યુ સ -  ફળોના જ્યુસમાં પણ કેલરીની માત્રા વધુ હોય છે જેના વધુ સેવનથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે. 

નારિયે ળ -  તેમાં પ્રોટીનની માત્ર ઘણી હોય છે જે ખાવાથી વજન વધે છે અને તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, 6 દિવસથી ગુમ, સાકેત શ્રીનિવાસૈયા

મૃત્યુને પડકાર પાંચ જીવ "જીતનાર" 10 મહિનાની બાળકીનું રાજ્ય કક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રોહિણીમાં ગેંગ વોર! જેલમાંથી છૂટેલા સાહિલની ગોળી મારીને હત્યા - ટિલુ ગેંગ શંકાસ્પદ!

IND vs PAK Match Updates- શું વોશિંગ્ટન સુંદરને ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે? આ ખેલાડીને પડતો મૂકવામાં આવી શકે છે.

આગામી 24 કલાકમાં આ 11 રાજ્યોમાં ભારે વરસાદથી વિનાશ સર્જાશે, IMD એ ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments