Webdunia - Bharat's app for daily news and videos

Install App

Be careful આ ફળ ખાવાથી તમારુ વજન વધશે

Webdunia
શનિવાર, 4 ઑગસ્ટ 2018 (10:50 IST)
ઘણીવાર આપણે કોઇ ફળના ફાયદા વિષે જાણ્યા પહેલા જ તેને ખાવાનું શરૂ કરી દે છે. આપણને લાગે છે કે ફળ ખાવા આપણા માટે સુરક્ષિત છે અને તેનાથી વજન વધતું નથી એમ માનીને ફળ ખાવાને બદલે તેનું જ્યુસ પીવાનું શરૂ કરી દઇએ છીએ. પણ આ એક ભ્રમ છે કે ફળો ખાવાથી વજન વધતું નથી. આપણને માલુમ હોવું જોઇએ કે કયું ફળ ખાવાથી તેમાંથી કયા પોષકતત્વો મળશે. કેટલાક ફળો એવા પણ છે જે વધુ ખાવાથી વજન વધવાની અને સ્થૂળ થઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. જાણીએ વિવિધ ફળો વિષે...

કેળા દૂધ સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. કારણ કે દૂધમાંથી તમને પ્રોટીન અને કેળામાંથી શુગર મળે છે જે વજન વધારે છે. કેળું ખાવાથી વધુ માત્રામાં કેલરી મળે છે સાથે કેલરીનો ક્ષય પણ ઓછો થવા લાગે છે.

ડ્રાય એપ્રિકો ટ( જરદાળુ) - સૂકા જરદાળુ કેન્ડી જેવા હોય છે તેને લોકો હરતા-ફરતા પુષ્કળ માત્રામાં ખઆઇ લે છે. પણ તેઓ ભૂલી જાય છે કે તેમાં ફ્રૂકટોઝ હોય છે જે વજન વધારનારું તત્વ છે. તે ખાવાથી વજન વધવાની સંભાવના પણ વધી જાય છે.

દ્રાક્ષ  -  દ્રાક્ષ એક તરફ જ્યાં ફાયદાકારક હોય છે ત્યાં બીજી તરફ તેના વધુ પડતા સેવનથી તમારું વજન વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે માટે તે ખાવાથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે.

અનાનસ -  જે લોકો અનાનસનું સેવન કરે છે તેમના માટે અનાનસ વજન વધવાનું કારણ બની શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા વધુ હોય છે.

એવોકેડો ઝ( avocados) -  આ ફળમાં વધુ માત્રામાં ફેટ અને કેલરી હોય છે જે ખાવાથી તમારું વજન વધી શકે છે.

ડ્રાયફ્રુટ્સ -  ડ્રાયફ્રુટ્સ જેવા કે કિશમિશ, બદામ વગેરેમાં મોટી માત્રામાં કેલરી હોય છે જે ખાવાથી વજન વધે છે.

ફળોનું જ્યુ સ -  ફળોના જ્યુસમાં પણ કેલરીની માત્રા વધુ હોય છે જેના વધુ સેવનથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે. 

નારિયે ળ -  તેમાં પ્રોટીનની માત્ર ઘણી હોય છે જે ખાવાથી વજન વધે છે અને તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોનમ વાંગચુકે હોસ્પિટલને લખ્યું- ‘મને રજા આપો, સંસદ કૂચમાં જવુ છે’; 28 જુલાઈથી ભૂખ હડતાળનો એલાન

અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત

LIVE: CJP ના સંસદ માર્ચમાં RPF નો લાઠીચાર્જ, સેંટ્રલ દિલ્હીના કેટલાક સ્થાન પર ઈંટરનેટ બંધ, દિલ્હી મેટ્રોના 5 સ્ટેશન બંધ

વોર્ડમાં અચાનક એક દર્દી પર છતનો પંખો પડી ગયો, જેના કારણે હોબાળો મચી ગયો

ન્યુડ મંદિરમાં ઘુસી, દેવી મૂર્તિને લઈને ભાગી અને તળાવમાં કુદી, હૈદરાબાદની એંજિનિયર તેજસ્વિનીનુ હેરાન કરનારુ મોત

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments