Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબૂદાણાની સરસ ખિચડી બનાવવા માટે ટિપ્સ

Webdunia
સોમવાર, 26 જુલાઈ 2021 (13:27 IST)
જો તમે વ્રત કરો છો  તો એ સમયે સાબૂદાણાની ખિચડી ખાવાનું મન થાય છે પણ ખિચડી ક્યારેક લોચો બની જાય છે તો ક્યારેક સાબુદાણા સીઝતા જ નથી.  આવામાં જો આ રીતે બનાવશો ખિચડી તો સ્વાદિષ્ટ અને ખીલેલી બનશે. 
 
ટિપ્સ - ખિચડી માટે સાબૂદાણા પલાળવું મુખ્ય કામ છે. એને આખી રાત  કે 8-10 કલાક સુધી પલાળવા બહુ જરૂરી છે. ત્યારે આ સૉફટ બને છે. જ્યારે સાબૂદાના પલળી જાય તો એના દાણાને આંગળીથી દબાવી જુઓ.  જો એ સહેલાઈથી મેશ થઈ જાય તો સમજી લો કે એ સારી રીતે પલળી ગયા છે. 
 
* સાબૂદાણાને હળવા હાથથી ધોવા મસળી-મસળીને ધોવાથી એ ખરાબ થઈ જાય છે. 
* સાબૂદાણાને પલાળતી વખતે એમાં પાણીની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ. 1. વાટકીમાં સાબૂદાણામાં 3 ચોથાઈ કપ પાણી પૂરતુ  હોય છે. 
 
* સાબૂદાણામાં સીંગદાણા આખા ન નાકશો પણ તેને  રોસ્ટ કર્યા પછી દરદરા વાટીને નાખો. આનાથી સાબૂદાણાનો સ્વાદ વધે છે. એમાં તેલ પણ ઓછું નાખવું પડે છે અને સાથે સાબૂદાણા ખિલેલા બને છે.  મગફળી પાવડર સાબૂદાણાનું વધારાનુ પાણી શોષી લે છે અને સાબૂદાણા પર પહેલાથી જ એક પરત બની જાય છે જેનાથી ખિચડી લોચો બનતી નથી.  

* સાબૂદાણા સારી દુકાનમાંથી જ ખરીદો. તો પણ સાબૂદાણા ખરાબ નિકળે તો તમે એને બીજી વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. જેમ કે જો સાબૂદાણા ધોતી વખતે પાવડર થઈ રહ્યા છે તો તમે એની ટિક્કી બનાવી શકો છો. કારણકે એનાથી ખિચડી સારી બનશે નહી. 

* સાબૂદાણા બહુ પાણી નાખ્યા પછી પણ પલળ્યા નથી તો એની તમે ખીર બનાવી શકો છો. 
 
* સરસ ક્વાલિટીના સાબૂદાણાને 2-3 કલાક સુધી પલાળો. પછી પાણી નિતારીને 4-5 કલાક પછી ખિચડી બનાવો.
 
*ખિચડી જો તમે વ્રત સમયે બનાવી રહ્યા છો તો એમાં શાક જેવા કે ગાજર, કાકડી, કોથમીર નાખી ખાવો. એનાથી ભારેપણું નહી લાગે. 
 
* ખિચડીમાં વ્રતના કારણે  સિંધાલૂણ જરૂર નાખો. 
 
* સાબૂદાણાની ખિચડીનો સ્વાદ વધારવા માટે તેને  વાટેલી ખાંડ, લીમડો, કોથમીર અને બટાટાની ચિપ્સથી સજાવીને ખાવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments