Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીલા વટાણાની કચોરી

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:28 IST)
વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે જેને કારણે આ આરોગ્યને પણ ખરાબ કરતી નથી. વટાણાની કચોરીને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તેને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. 
સામગ્રી - 250 ગ્રામ બાફેલા લીલા વટાણા, થોડો આદુનો પેસ્ટ, 3 ચપટી હિંગ,  1 ચમચી જીરા પાવડર, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 3 કપ લોટ, એક ચમચી ઘી, તળવા માટે તેલ અને મીઠુ સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - વટાણાને ઉકાળી લો અને તેને ઠંડા કરી લો.  હવે એક બાજુ ઘી અને પાણી નાખીને લોટ તૈયાર કરી લો. ધ્યાન રાખો કે લોટ નરમ અને મુલાયમ હોય.  બાફેલા વટાણાને ગ્રાઈંડ કરી લો.  હવે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને તેમા હિંગ તેમજ વાટેલો આદુ નાખો અને સાતળો.  હવે તેમા વાટેલા વટાણા બધા મસાલા, ખાંડ અને મીઠુ નાખીને સારી રીતે હલાવો. 
 
પછી તેને ઠંડુ થવા માટે બાજુ પર મુકી દો.  બીજી બાજુ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મુકો. હવે એક લોટનો લૂવો લો અને તેમા વટાણાનો મસાલો ભરીને તેને બંધ કરો. પછી તેને થોડી વણી લો. ધ્યાનથી વણો જેથી વટાણાનો મસાલો બહાર ન નીકળે.  હવે તેને ગરમા ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો. ધ્યાન રાખો તેમા તેલ ન ભરાય જાય.  કચોરીઓ તૈયાર છે.. આ ગરમા ગરમ કચોરી લીલી ચટણી સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments