Webdunia - Bharat's app for daily news and videos

Install App

કીડી અને સિંહની મિત્રતા

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:51 IST)
એક જંગલમાં બે મિત્ર રહેતા હતા - એક સિંહ અને એક કીડી.  બંને કદ-કાઠી રંગ-રૂપમાં એકબીજાથી બિલકુલ જુદા જ હતા. અહી સુધી કે તેમના વિચાર પણ જુદા હતા. તેમ છતા એ બંને ખૂબ સારા મિત્ર હતા.  એક દિવસ વાત કરતી સમયે વાઘે કીડીને કહ્યુ કે કીડી તુ ખૂબ જ નાનકડી છે.   તુ કોઈને મદદ નથી કરી શકતી.  હુ જંગલનો રાજા છુ અને બળવાન છુ. તને ક્યારેય મારી જરૂર પડે તો મને બોલાવી લેજે.  સિંહનો ઘમંડ જોઈને કીડી  મનમાં જ હસવા લાગી અને બોલી ઠીક છે વનરાજ.. 
 
એકવાર જંગલમાં એક મદમસ્ત હાથી આવ્યો. રાજા સિંહ સૌને બચાવવા માટે હાથી સાથે બાથે વળગ્યો. પણ હાથી તો મદમસ્ત હતો. તેને હરાવવો કોઈના ગજાની વાત નહોતી. સિંહના વશમાં કશુ જ નહોતુ અને હાથીએ સિંહને હરાવી દીધો.  પોતાના થાકેલા મિત્ર સિંહને જોઈને કીડીને ખૂબ ગુસ્સો અવ્યો. તેણે એક તરકીબ વિચારી.  કીડી હાથીની સુંઢમાં ઘુસીને તેના મગજ સુધી પહોંચી ગઈ.  કીડીએ હાથીના મગજની એક નસ કાપી નાખી. જેનાથી હાથી પસ્ત થઈ ગયો અને મરી ગયો. 
 
ત્યારબાદ સિંહે પોતાની મિત્ર કીડી પાસે પોતાની ઘમંડ માટે માફી માંગી અને બંને મિત્ર હસતા હસતા પોતાના રસ્તે ચાલી નીકળ્યા. 
 
શિક્ષા/પાઠ - આપણે ક્યારેય પણ અભિમાન ન કરવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments