Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નનો એટલો શોખ કે એક નહી બે નહી, આ બિલ્ડરની છે 120 પત્નીઓ

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (17:18 IST)
એક વય પછી દરેકના મનમાં લગ્નની ઈચ્છા થાય છે કે હવે તે લગ્ન કરીને પોતાનો પરિવાર બનાવે. પતિ માટે પત્ની જ ઉમંરભરનો સાથ હોય છે.  જો કોઈ પરણેલા હોવા છતા પણ બીજા લગ્ન કરે તો તેને બેવફા સમજવામાં આવે છે. આજે અમે જે પુરૂષ વિશે વાત કરી રહ્યા છે તે વ્યક્તિના એક  કે  બે નહી પણ 120 વાર લગ્ન થયા છે. 
 
આ માનણ ન તો મુસ્લિમ છે કે ન તો ભારતનો રહેનારો. થાઈલેંડના નકોન નાયોક શહેરમાં રહેનારા 58 વર્ષના આ પુરૂષનુ નામ તંબન પ્રૈજર્ટ છે.  જેના 120 લગ્ન થયા હોવાનો ખુલાસો થયો છે.  ઉલ્લેખનીય છે કે તંબન નાયોક ફ્રોમની જીલ્લાના પ્રમુખ છે અને તેમનો બિલ્ડરનો વ્યવસાય પણ છે.  તેણે આ લગ્ન ગેરકાયદેસર રીતે કર્યા છે. જેના વિશે તેની બધી પત્નીઓને જાણ છે. 
 
આટલા લગ્ન કરવા વિશે જ્યારે તંબનને પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે આ નવા લગ્ન કરતા પહેલા પોતાની પત્નીઓને આ વાત બતાવી પણ દેતો હતો. ત્યારબાદ જે યુવતી સાથે તે લગ્ન કરતો તેના માતા-પિતાને પણ આ વિશે બતાવી દેતો હતો. સૌથી વધુ નવાઈની વાત તો એ છે કે તાજેતરમાં જ તેણે માત્ર 27 વર્ષની ફોન સાથે લગ્ન કર્યા છે.  જેમા લગ્ન સાથે સંબંધિત બધી પરંપરાઓ અને રીતિ-રિવાજ નિભાવવામાં આવ્યા હતા. 
 
તેના પહેલા લગ્ન વિશે વાત કરીએ તો મળતી માહિતી મુજબ તેણે 17 વર્ષની વયમાં પ્રથમ લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની વયમાં તેનાથી બે વર્ષ નાની હતી.  આટલા લગ્ન કરવા વિશે જ્યારે તંબનને પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે જ્યારે કંસ્ટ્રકશનનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેની સુંદર યુવતીઓ સાથે મુલાકાત પણ થવા લાગી. જેના કારણે તે કંસ્ટ્રક્શનનુ કામ કરતો હતો ત્યા લગ્ન કરી લેતો હતો.  અત્યાર સુધી તેણે 120 લગ્ન કર્યા છે.  જેમા તેને 28 બાળકો પણ છે.  ખાસ વાત એ છે કે તેની બધી પત્નીઓને તેના લગ્ન વિશેના શોક વિશે કોઈ વાંધો પણ નથી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments