suvichar

સારી ઊંઘ જોઈતી હોય તો દવા નહી આ ઉપાય અજમાવો

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:34 IST)
સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  આનુ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.  અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો. 
 
ઘરેલુ ઉપચાર 
 
1.  રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે 
2. ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો 
3. રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી. 
4. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો. 
5. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 
6. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો. 
7. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ  ચૂરણ દૂધ સાથે લો.  એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે. 
8. સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
9. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. 
10. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ.  તેનાથી તમે આરામથી સૂઈ શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પીએમ મોદી-મેક્રોન બેઠક શરૂ, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે

માસૂમ બાળકના મૃત્યુ માટે સગીર સ્કોર્પિયો સવાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું, રડતી માતા કહ્યુ - મને ન્યાય જોઈએ છે

Ganga Swaroop Yojana - ગંગા સ્વરૂપા સહાય યોજનામાં ક્રાંતિકારી ફેરફાર: હવે પેન્શન લેવા બેંક જવાની જરૂર નથી, પોસ્ટમેન ઘરે આવીને આપશે પૈસા

ગુજરાતની કોર્ટો પર બોમ્બનો ખતરો: વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી

Jio Arogya AI મિનિટોમાં આરોગ્ય સ્ક્રીનિંગ, AI ક્લિનિક મોડેલ રજૂ

વધુ જુઓ..

ધર્મ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ