baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોવિડ 19- સંક્રમણ છે તો કેવી રીતે લેવી વરાળ, વરાળના ફાયદા અને ક્યારે લેવી વરાળ જાણો એક કિલ્ક પર

gujarati health tips
, ગુરુવાર, 6 મે 2021 (07:59 IST)
કોરોના સંક્રમણથી બચાવ માતે દર શક્ય કોશિશ કરાઈ રહી છે જેથી આ રોગની ચપેટમાં આવવાથી બચી શકાય. યોગા, પ્રાણાયમ, ઉકાળો, કોવિડ નિયમોના પાલન જેવી બધી કોશિશ કરાઈ રહ્યુ છે. તેની સાથે આ દિવસો નિષ્ણાત દ્વારા સલાહ પણ આપી રહ્યા છે કે નિયમિત રૂપથી વરાળ પણ લેતા રહો. તેનાથી તમારી શ્વસ પ્રણાલી ઠીક રહેશે. સાથે જ વાયરસ જો તમારા ફેફ્સાં સુધી પહોંચી ગયુ છે તો તે સંક્રમણને ઓછું કરવામાં ફાયદો કરશે. 
 
કેવી રીતે લેવી વરાળ 
વરાળ ઘણા લોકો લઈ રહ્યા હશે. પણ સાચી રીત ખબર હોવી જોઈએ. જી હા જો વરાળ લઈ રહ્યા છો કાળજી રાખવી કે તેનો અસર તમારા ગળા અને શ્વસન પ્રણાલીના આખરે છોર સુધી પહોંચવી જોઈએ. તેનાથી તમને વધારે લાભ મળશે. સાથે જ વરાળ લેતા સમયે મોઢું ખોલીને વરાણ લેવો જોઈએ. તેનાથી મોઢાની અંદરના ભાગમાં પણ લાભ મળશે. 
 
ક્યારે લેવી જોઈએ વરાળ
નિષ્ણાતો મુજબ વરાળ ઓછામાં ઓછા દિવસમાં 3-4 વાર જરૂર લેવી. વરાળ લેવાની સમય અવધિ 3-4 મિનિટ રાખવી. તેનાથી વાયરસનો અસર સંભવત ઓછું થશે. જો તમને વરાળ લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય. ત્યારે વરાળ ન લેવી અને પરિચિત ડાક્ટર્સથી સલાહ લઈને વરાળ લો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RTPCR શું છે આરટીપીસીઆર ટેસ્ટ? જાણો કોરોના ટેસ્ટ વિશે બધુ જ