Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારુ બીપી વધી ગયુ છે ? તો આ રીતે કરો કંટ્રોલ

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (16:38 IST)
આજકાલ લોકોના જીવનનો ઢંગ ખૂબ બદલાય ગયો છે. મશીનો પર વધતી નિર્ભરતાએ બેશક આપણી જીંદગીને સહેલી બનાવી દીધી છે પણ તેનાથી આપણને અનેક બીમારીઓ પણ મળી છે. હાઈ બીપી તેમાથી એક છે. આ બીમારી ભલે નાની લાગતી હોય પણ હાર્ટએટેક અને અન્ય હ્રદ રોગ થવાનુ મુખ્ય કારણ છે.  તેથી જરૂરી છે કે તમે તમારા બીપીને કંટ્રોલમાં રાખો. 
 
હાઈ બીપીને કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપાય 
- મીઠુ બીપી વધવાનુ મુખ્ય કારણ છે . તેથી હાઈપીબીવાળાએ મીઠાનો પ્રયોગ ઓછો કરી દેવો જોઈએ 
- લસણ બીપીને ઠીક કરવામાં ખૂબ  કારગર ઘરેલુ ઉપાય છે. આ લોહીનો થક્કો જામવા દેતુ નથી અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. 
- એક મોટી ચમચી આમળાનો રસ અને એટલુ  મધ મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી હાઈ બીપીમાં લાભ થાય છે. 
- જ્યારે બીપી વધી ગયુ હોય તો અડધો ગ્લાસ સાધારણ ગરમ પાણીમાં કાળા મરીનો પાવડર એક ચમચી મિક્સ કરીને 2-2 કલાકના અંતરે પીતા રહો. 
- તરબૂચના બીજની ગિરી અને ખસખસ જુદા જુદા વાટીને બરાબર માત્રામાં મિક્સ કરીને રાખી મુકો. તેનુ રોજ સવારે એક ચમચી સેવન કરો. 
- વધતા બીપીને જલ્દી કંટ્રોલ કરવા માટે અડધો ગ્લાસ પાણીમાં લીંબૂ નીચોવીને 2-2 કલાકના અંતરથી પીતા રહો. 
- પાંચ તુલસીના પાન અને બે લીમડાના પાનને વાટીને 20 ગ્રામ પાણીમાં મિક્સ કરીને ખાલી પેટ સવારે પીવો. 15 દિવસમાં લાભ જોવા મળશે. 
-  હાઈ બીપીના દર્દીઓ માટે પપૈયુ પણ ખૂબ લાભ કરે છે. તેને રોજ ખાલી પેટ ચાવી ચાવીને ખાવ 
- ઉઘાડા પગે લીલી ઘાસ પર 10-15 મિનિટ ચાલો રોજ ચાલવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. 
- વરિયાળી, જીરુ, ખાંડ ત્રણેયને બરાબર માત્રામાં લઈને પાવડર બનાવી લો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મિશ્રણ નાખીને સવાર સાંજ પીતા રહો. 
- ઘઉ અને ચણાના લોટને બરાબર પ્રમાણમાં લઈને બનાવેલ રોટલી ખૂબ ચાવી ચાવીને ખાવ. લોટમાંથી ચોકર કાઢશો નહી. 
- બ્રાઉન રાઈસનો ઉપયોગ કરો. આ હાઈ બીપીના રોગીઓ માટે ખૂબ  લાભદાયક ભોજન છે. 
- લસણ અને ડુંગળીની જેમ આદુ પણ ખૂબ લાભકારી છે. તેનાથી ધમનીઓની આસપાસની માંસપેશીઓને પણ આરામ મળે છે જેનાથી હાઈબીપી નીચે આવી  આય છે. 
- ત્રણ ગ્રામ મેથીદાણા પાવડર સવાર સાન પાણી સાથે લો. આ પંદર દિવસ સુધી લેવાથી લાભ ખબર પડશે. 
 
યાદ રખો કે હાઈબીપીની આપણા આરોગ્ય માટે ખૂબ  જ ખતરનાક છે . પણ જો બીપી સામાન્ય કરતા હોય તો એ પણ આરોગ્ય માટે સારુ નથી. તેથી કોઈપણ ઉપાયને અજમાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

ગુજરાતમાં તેજ પવનના લીધે વરસાદે લીધો વિરામ: 15 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થવાની અને ભારે વરસાદની આગાહી

વધુ જુઓ..

ધર્મ

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments