rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયાબિટીસના દર્દીએ કેટલો સમય ચાલવું જોઈએ, 1 દિવસમાં કેટલા પગલાં ચાલવાથી કંટ્રોલમાં રહે છે બ્લડ શુગર ?

diabitic
, સોમવાર, 14 જુલાઈ 2025 (11:27 IST)
diabitic
ડાયાબિટીસ એક એવી બીમારી રોગ છે જેને લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને ઘણી હદ સુધી કંટ્રોલમા કરી શકાય છે. દવાઓ અને ખોરાકની સાથે, વધેલા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે દરરોજ થોડી શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવું એ સૌથી સરળ કસરત માને છે. કોઈપણ ઉંમરના લોકો લાંબા સમય સુધી સરળતાથી કરી શકે છે. જો કે, ડાયાબિટીસમાં કેટલો સમય અને કેવી રીતે ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. જેથી ખાંડના દર્દીને તેનો સંપૂર્ણ લાભ મળી શકે.
 
ડાયાબિટીસમાં કેટલો સમય ચાલવુ જોઈએ ?
ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવું એ સૌથી અસરકારક કસરત છે. ડાયાબિટીસમાં પણ તમારે સામાન્ય લોકોની જેમ દરરોજ 10 હજાર પગલાં ચાલવું જોઈએ. જો તમે ખૂબ થાકેલા છો કે નબળા છો અથવા આટલું બધું ચાલવું શક્ય નથી, તો તમારે દરરોજ 30 મિનિટ ચોક્કસપણે ચાલવું જોઈએ. ડાયાબિટીસમાં વ્યક્તિએ દિવસમાં લગભગ 6400 પગલાં ચાલવા જોઈએ. જો કિલોમીટરમાં જોવામાં આવે તો તમારે 3 થી 4 કિમી ઝડપથી ચાલવું જોઈએ. આનાથી બ્લડ સુગર ઝડપથી સુધરશે. ડાયાબિટીસના દર્દીઓએ અઠવાડિયામાં 5 દિવસ ચોક્કસપણે ચાલવું જોઈએ.
 
ડાયાબિટીસમાં કયા સમયે કરવી જોઈએ વૉક ? 
વૉક તમે ગમે તે સમયે કરી શકો છો, પરંતુ જ ડાયાબિટીસના દર્દીઓ માટે, જમ્યા પછી વૉક  શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને રાત્રિભોજન પછી 15 થી 30 મિનિટનું હળવું ચાલવું બ્લડ સુગરને ઝડપથી વધતા અટકાવે છે. તેથી, ખાધા પછી થોડી મિનિટો ચાલવા માટે કાઢો. સવારે ખાલી પેટ ચાલવું પણ ડાયાબિટીસમાં ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ આમાં સાવધાની રાખવી જરૂરી છે. જો તમે ઇન્સ્યુલિન લઈ રહ્યા છો અથવા તમારા બ્લડ સુગરનું સ્તર પહેલાથી જ ઓછું છે, તો તમારે મોર્નિંગ વોક પહેલાં હળવો નાસ્તો કરવો જોઈએ.
 
ડાયાબિટીસમાં કેવી રીતે કરવી વૉક, શુ છે સાચી રીત ? 
જો તમે શુગરને નિયંત્રિત કરવા માંગતા હોય, તો તમારે ઝડપી ચાલવું જોઈએ. ઝડપી ગતિએ ચાલો, પરંતુ દોડવાનું ટાળો. શરૂઆતમાં, તમે જાપાની શૈલીમાં 5 મિનિટ ઝડપી ચાલવા જેવુ ચાલી શકો છો અને પછી સામાન્ય રીતે ચાલી શકો છો. તમે તેને 10-10-10 માં પણ વિભાજીત કરી શકો છો. જેમ કે આખા દિવસનું ચાલવું 3 વખત કરો. સવારે એક વાર 10 મિનિટ ચાલો, પછી બપોરે 10 મિનિટ ચાલો અને પછી રાત્રે 10 મિનિટ ચાલો. આ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તમારું એકંદર સ્વાસ્થ્ય સારું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાણીપુરી ખાવાના ફાયદા