Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી નિબંધ- ઉનાળાનો બપોર

Webdunia
શનિવાર, 5 જૂન 2021 (06:37 IST)
ગ્રીષ્મનો મધ્યાહન/ઉનાળાનો બપોર / બળબળતા જામ્યા બપોર 
 
મુદ્દા- પ્રકૃતિનું રોદ્ર રૂપ 2. નિર્જનત અને શાંતિ 3. પશુપંખી અને માનવીની હાલત 4. ગરમીની અસરથી બચવાની પ્રયુક્તિઓ 5. મધ્યાહનનો વૈભવ 
ઉનાળાની બપોરે એટલે બળતી ભટ્ટીનો બફારો! ઉનાળાના બપોર એટલે અસહ્ય ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા! ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉષ્ણતાનો ઉકળતો ચરૂ! પ્રકૃતિના રોદ્ર સ્વરૂપની એક ઝાંખી ઉનાળાનો બળબળતા બપોરે જ થાય. ધરતી અબે આકાશ બન્ને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી જાય ત્યારે ક્ષિતિજ જાણે હાંફતી ન હોય એવો ભાસ થાય! રૂઠીલીને રિસાયેલી, ખિજાયેલીને ક્રોધે ભરાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરી નાખવા હઠે ન ભરાઈ હોય એમ સડકો વૃક્ષો, મકાનો અને જળાશયો-બધા બળુંબળું થઈ રહ્યા હોય ત્યરે સમજી લેવું કે ઉનાળો બરાબર જામ્યો છે! 
ઉનાળાના ધોમધખતા બપોરે માનવીમાત્રના આનંદોલ્લાસમાં, વાહનવ્યવહારની ગતિવિધિમાં, પશું પંખીઓની ચહલપહલમાં અને સમસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં ભાએ રે ઓટ અને મંદી આવી જાય છે. એક બાજુ, સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉનાઉના લૂભર્યા વૈશાખી વાયરા ફૂંકાતા હોય ત્યારે શહેરોના હ નહિ ગામડોના રસ્તાઓ પણ સૂમસામ અને નિર્જાન બની જાય છે. એટલું જ નહિ  જાણે એ વધારે પહોંલા ન થયા હોય એવો ભાસ થાય છે. 
 
તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ કયાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડે છે. લાચાર ભોલાં પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે. શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે છે. બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કમા-ધંધાને વળગેલા હોય છે. વસ્તી યા ચેતનની દ્ર્ષ્ટિએ કોઈએ તો થોડાક રડયાખડયા શ્રમજીવી મજૂરો આકાશમાં ચકરવા લેતી એકાદ બે સમડીઓ,મૃગજળ પાછડ દોડ મૂકતા  કો'ક  કો'ક હરણાં અને એકાએક મૂકી ઉઠતા એકલવાયા ગધેડા સિવાય જીવંત સૃષ્ટિનો ઝાઝો અણસારો જોવા સાંભળવા મળતો નથી. 
 
ગરમીથી બચવાનો પશુપંખીઓ પાસે તો અન્ય કોઈ ઉપાય નથી, પરંતુ બુદ્ધિશાળી માનવપ્રાણીએ ગરમીની અસર ઓછી લાગે તો માટે જાતજાતની યુક્તિ-પ્રયુક્તિ શોધી કાઢે છે. સફેદ બારીક વસ્ત્રો પરિધાન કરવા બહાર નીકળકાનું થાય તો ટોપી, હેટ કે છત્રીઓ ઉપયોગ કરવો. ઘરમાં ઑફિસમાં, હોટલોમાં અને છબી ઘરોમાં પંખા તથા વાતાનુકુલિતની વ્યવસ્થા કરવી. ગરમ લૂનો મારો રોકવા ખસની ટટ્ટીઓ ભીની કરીને બાંધવી; ઠંડા પીણાં, ફ્રીજનું પાણી, આઈસક્રીમ વગેરીએ લિજ્જત માણીને કોઠો ટાઢો કરવો. પૈસાની છૂટ હોય તો કોઈ ગિરિનગર પર કે દરિયાકિનારે હવા ખાવા ઉપડી જવું. વગ્રે અનેક તરકીબો દ્વારા માનવીને ગરમી સામે રક્ષણ અને રાહત મેળવવા કમર કસી છે. 
 
ગ્રીષ્મના બપોરને કવિ-લેખકોએ પોતપોતાની રીતે શબ્દોમાં આલેખ્યો છે. કોઈને તેમાં વૈરાગી બાવાનું તો કોઈએ તેમાં જટાળા જોગીનું, તો કોઈઈ તેમાં ભસ્માક્તિ, તો કોઈને શિકારી કૂતરાંનું દર્શન થયું છે. કાકા કાલેલકરે તો ત્યાં સુધી કહી દીધું છે કે, ભેંસો દૂધ દોહરાવતી વખતે જેવી રીતે આંખો મીંચી નિ: સ્તબ્ધ ઉભી રહે છે તેની રીતે, ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઉભું રહે છે..."  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાકાલ મંદિરમાં એક મોટો રેકોર્ડ બન્યો! એક જ દિવસમાં 2,47,894 ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા, જેના કારણે લાંબી કતારો લાગી

ચોમાસાને પગલે વન વિભાગનો મોટો નિર્ણય: આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલના દ્વાર પ્રવાસીઓ માટે 4 મહિના માટે બંધ

Gold-Silver Rates - શું સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? ખરીદી કરતા પહેલા અહીં નવીનતમ ભાવ તપાસો

યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્કાયડાઇવિંગ કરતી વખતે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા. જાણો ક્યારે, કેવી રીતે અને ક્યાં દુર્ઘટના બની.

El Nino Effect: - બે વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ચોમાસું નબળું, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

વધુ જુઓ..

ધર્મ

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments