Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી અમિત શાહ અને અડવાણી અમદાવાદમાંથી મતદાન કરશે

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2017 (11:52 IST)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતનાં વતની છે. રાણીપ વિધાનસભાના મતક્ષેત્રમાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે. વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. આથી તેઓ મતદાન કરવા અમદાવાદ આવશે કે કેમ ? તેની લોકોમાં જિજ્ઞાાસા હતી. જેનો જવાબ સૌ કોઈને મળી ગયો છે અને ઁસ્ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદમાં આવશે. વડાપ્રધાન મોદી રાણીપની નિસાન વિદ્યાલય ખાતે મતદાન કરશે. જ્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે સવારમાં મતદાન કરશે. આ જ રીતે કેન્દ્રીય નાણામંત્ર અને ગુજરાતમાંથી રાજ્યસભા માટે સાંસદ તરીકે ચૂંટાયેલા અરૃણ જેટલી એસ.જી. હાઈવે પર આવેલી ચિમનભાઈ ઈન્સ્ટીટયુટ ખાતે મતદાન કરશે. ભાજપ સરકારમાં માજી નાયબ વડાપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ શાહપુર હિન્દી શાળા નંબર ૧-૨ની મતદાર યાદીમાં છે. તેઓ પણ મતદાન કરવા ૧૪મી ડિસેમ્બરે આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments