Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદોના 81 લાખ રૂપિયા ક્યાં ગયા એ હાર્દિક જ જાણે છે - દિનેશ બાંભણિયાનો આરોપ

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2017 (11:29 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયા છેક સુધી હાર્દિક પટેલની સાથે રહ્યાં પણ છેલ્લે તેમણે પાસમાંથી રાજીનામું મુકી દીધું અને હવે તેઓ કોઈપણ પક્ષમાં જોડાયા સિવાય હાર્દિક પર આક્ષેપો કરી રહ્યાં છે. દિનેશ બાંભણીયાએ આરોપ લગાવ્યો હતો કે, હાર્દિકે રાહૂલ ગાંધી અને રોબર્ટ વાડરા સાથે ગૂપ્ત બેઠક યોજીને સેટીંગ કર્યું હતું. શહિદો માટેના 81 લાખનો હિસાબ, હોટલ તાજમાં રાહુલ ગાંધી સાથેની ત્રણથી વધુ વખતની મુલાકાત, દિલ્હીમાં 48 મિનીટ રોર્બટ વાડ્રા સાથેની ખાનગી મુલાકાતો પર બાંભણીયાએ હાર્દીક પાસે ખુલાસો માંગ્યો છે. જ્યારે કોંગ્રેસની અનામત ફોર્મુલા પણ સમાજને ગેરમાર્ગે દોરનારી હોવાનુ બાંભણિયાએ જણાવ્યુ હતુ.

બાંભણીયા મૂજબ એનસીપી દ્રારા 4 મહિના પહેલા 81 લાખ રૂપિયા શહિદોના પરીવારને મદદ કરવા માટે આપ્યા હતા. પરંતુ તે પૈસાનુ શુ થયુ તે ખબર જ નથી. એે પૈસા અંગે ફક્ત હાર્દિક પટેલ અને બોટાદ કન્વિનર દિલિપ સાબવા જ જાણે છે. રાહુલ ગાંધીને પાટીદાર સમાજને શહિદ થયેલા પરીવાર જનોને મુલાકાત માટે અનેક વખત કહેવામાં આવ્યુ હતુ. પરંતુ તેઓ પાટીદાર સમાજના એક પણ પરીવારને મળ્યા નથી. બાંભણીયાએ હાર્દિકનો મેસેજ રજૂ કરીને જણાવ્યું કે, 8 ડિસેમ્બરે જ્યારે બાંભણીયાએ પત્રકાર પરીષદ સંબોધવાની જાહેરાત કરી હતી તે પહેલા હાર્દિકે મળીને મામલો શાંત કરવાની વાત કરી હતી. તેમજ બાંભણિયાની મેસેજથી માફી માંગીને શાંતીથી બેસીને ચર્ચા કરવાનુ કહ્યુ હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments