Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં હાર્દિકની જંગી સભા, લાખોની જનમેદની વચ્ચે સરકાર પર આકરા પ્રહારો

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:09 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં બુધવારે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ચૂંટણી અધિકારી તરફથી સભાની મંજૂરી મળી નથી છતાં સભા થશે તેવી મક્કમતા પાસે કરી હતી. હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, આજે મને અમદાવાદની જીએમડીસી ગ્રાઉન્ડની યાદ અપાવી દીધી. અમે હવે કોઇ મંજૂરીથી ડરતા નથી.

અહીં ભાઇશ્રી આજે મોરબીમાં હતા. અમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે ત્રાસવાદી નથી. મહાક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની જશે અને પાટીદારોના પ્રશ્નો હલ થશે તેવું નથી, એક વખત શક્તિ દેખાડવી જરૂરી છે. જ્યારે હાર્દિકની સભાનો વિરોધ કરવા નીકળેલા 33 શખ્સની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં મને એક જગ્યાએ વિકાસ દેખાડો તો આંદોલન બંધ કરી નાખીશ. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતને કોઇ જાતિ સાથે સરખાવાની જરૂર નથી. ભાજપ બે દાયકાથી સત્તા પર છે. પરંતુ યુવાનો સરકારી ભરતીમાં 200માંથી 180 માર્કસ લાવે તો તેને કોલલેટર મળતો નથી. જે સમાજ હક્ક માગે તેને સરકાર ગોળી અને લાઠી આપે છે.

હવે પરિવર્તન માટેનો સમય આવી ગયો છે. હાર્દિકે સભામાં વધુ જણાવ્યું હતું કે, સમાજમાં ભાજપે ભાગલા પડાવ્યા, અમે સતા પહોંચ્યા છતાં અધિકારીની વાત કરી તો પણ અત્યાચાર કર્યો છે. નિર્દોષ યુવાનો પર કેસ કર્યા. કોંગ્રેસનો એજન્ટ કહેતા હોય તો છીએ. કારણ કે અમે ત્રાસવાદને તો સપોર્ટ કરતા નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments