Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈવીએમની ગરબડ જીતી છે પણ મારી લડાઈ ચાલુ રહેશે - હાર્દિક પટેલ

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:55 IST)
હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકારની કાર્યવાહીથી ડરવાનો નથી અને પાટીદાર સમાજના હક માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે. તેણે કહ્યું કે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેની સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહી છે, પરંતુ તે તેનાથી ડરશે નહીં અને પોતાનું આંદોલન ચાલુ રાખશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના એક દિવસ પછી હાર્દિકે ટવીટ કરી આ આશંકા વ્યકત કરી હતી. તેણે કહ્યું કે, ‘ભાજપે મારી સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી છે. કંઈ વાંધો નહીં, હું પાછીપાની નહીં કરું જનતા માટે લડાઈ ચાલુ રાખીશ. મને જેલમાં નાખવાથી લડાઈ બંધ નહીં થાય. ઇન્કલાબના નારાથી લડાઈ ચાલુ રહેશે’ તેણે કહ્યું કે, ‘ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ એક સશકત વિપક્ષ તરીકે ઊભરી છે. આપણે એ જોવું પડશે કે તે વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે કઈ રીતે લોકોની સેવા કરે છે.’ ઈવીએમ પર હાર્દિકે કહ્યું કે, ‘ચૂંટણીપંચે જે કંઈ પણ કહ્યું છે, તે સંપૂર્ણ અને અંતિમ નથી. જો એક ઉમેદવાર કહે છે કે, તેને ઈવીએમ સામે વાંધો છે, તો વીવીપેટ સ્લીપની ચોક્કસ રીતે ફરીથી ગણતરી કરવી જોઈએ.’  તેણે કહ્યું કે, ‘હાર્દિક નથી હાર્યો, બેરોજગારી હારી છે. શિક્ષણની હાર થઈ છે. સ્વાસ્થ્યની હાર થઈ છે. ખેડૂતોની ભીની આંખો હારી છે. લોકો સાથે જોડાયેલા દરેક મુદ્દા હાર્યા છે અને એક આશા હારી છે. સાચું કહું તો ગુજરાતની જનતા હારી છે. ઈવીએમની ગરબડ જીતી ગઈ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments