Biodata Maker

દિવાળીના દિવસોમાં જ ચૂંટણી જાહેર થશે: દોઢ મહિનાની આચારસંહિતા

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:25 IST)
રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે ઓકટોબરના પ્રારંભે કેન્દ્રીય ચૂંટણી પંચના તમામ મુખ્ય અધિકારી ગુજરાત આવી રહ્યા છે. તેમની હાજરીમાં રાજયના તમામ જિલ્લા કલેકટર, ડી.એસ. પી. તેમ જ પોલીસ કમિશનરોની બેઠક યોજાશે. દિવાળીની આસપાસના દિવસોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. ત્યારથી જ આચારસંહિતા અમલમાં આવી જશે

દોઢેક મહિનાની આચારસંહિતા રહે અને ૧પ નવેમ્બરથી ૧પ ડિસેમ્બર વચ્ચે મતદાન થાય તેવી શક્યતા છે. તમામ ૧૮ર મતક્ષેત્રમાં ઇ.વી.એમ.ની સાથે વીવીપેટ મશીન જોડીને મતદાન કરવાનું નકકી થઇ ગયું છે જરૂરી વીવીપેટ ગુજરાતમાં આવી ગયા છે. તેની ચકાસણી કામગીરી ચાલી રહી છે.મોટાભાગના વીવીપેટ કંપનીમાંથી આવ્યા છે એટલે કે પ્રથમ વખત જ ઉપયોગ થશે. કેન્દ્રીય ચૂંટણી પછી ગુજરાતમાં સમીક્ષા કરી જાય પછી ગમે ત્યારે ચૂંટણી જાહેર થશે. દિવાળી ૧૯ ઓકટોબરે છે તે પૂર્વે બે-ચાર દિવસે ચૂંટણી જાહેર થઇ શકે છે. જો તહેવારોને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દિવાળી પછી ચૂંટણી જાહેર કરવા ઇચ્છે તો લાભપાંચમ સુધીમાં ચૂંટણી જાહેર થઇ જશે. રાજ્યમાં ચૂંટણી બે તબકકે થવાની સંભાવના છે. ર૦૧રની વિધાનસભાની ચૂંટણીમાં અઢી મહિના સુધી આચારસંહિતા અમલમાં રહી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments