Webdunia - Bharat's app for daily news and videos

Install App

EVM - VVPATની ગરબડ, ભાજપ કોંગ્રેસ આમને સામને

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (16:19 IST)
ગુજરાતમાં શનિવારે પ્રથમ તબક્કા દરમિયાન ઈવીએમમાં ગરબડની વાત સામે આવી છે. કોંગ્રેસે ઘણી જગ્યાએ ઈવીએમ મશીનમાં ગરબડની ફરિયાદ કરી છે. કોંગ્રેસે પોરબંદરમાં કેટલીક જગ્યાઓ પર ઈવીએમ વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરાયા હોવાની પણ ફરિયાદ કરી છે. તો ભાજપે તેને પાયાવિહોણી ફરિયાદ જણાવતા કોંગ્રેસની અકળામણ જણાવી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહેલે આરોપ લગાવતા કહ્યું કે, ઈવીએમમાં ગરબડની ફરિયાદ ચૂંટણી પંચને કરીશું.

તેમણે કહ્યું કે, ‘કેટલીક જગ્યાઓ પર ઈવીએમમાં ગરબડની ફરિયાદના અહેવાલ છે, ક્યાંક મશીનો ખરાબ હોવાને કારણે મતદાન શરૂ થવામાં મોડું થયું.’ તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 16 જગ્યાએથી ઈવીએમમાં ગરબડ હોવાની વાત સામે આવી. પોરબંદરમાંથી 8, અમરેલીમાંથી 3, વલસાડમાંથી 5 બૂથોમાં ગરબડની ફરિયાદ મળી છે.તો ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના આ આરોપોને પાયાવિહોણા જણાવતા કહ્યું કે, ‘હજુ મતદાન પુરું પણ નથી થયું અને પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે-સવારે ઈવીએમ પર હુમલા કરી કોંગ્રેસે પોતાની હતાશા અને અકળામણનો પરિચય આપી દીધો છે. તેની હાર સ્પષ્ટ છે અને એ તેના ચહેરા પર લખેલું છે. તે ઈવીએમની પાછળ પોતાની હારને છૂપાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ઈવીએમમાં ગરબડ છે તો ચૂંટણી પંચ તેના પર કાર્યવાહી કરશે. સુરતના વરાછામાં સરદાર પટેલ વિદ્યાલયમાં બનેલા બૂથ પર મશીન ખરાબ હોવાની વાત સામે આવી, જેને બદલી દેવાયું. અહીં પર ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર વિપુલ ગોટીએ કહ્યું કે, ‘અમે બે ઈવીએમઅને એક વીવીપીએટી બદલી દેવામાં આવ્યું છે. તેને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ન કહી શકાય, આ ઈલેક્ટ્રોનિક સામાન છે, તેમાં કેટલીક તકલીફ થઈ શકે છે. હવે બધું બરાબર છે અને વોટિંગ શરુ થઈ ચૂક્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments