Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ?

Webdunia
રવિવાર, 8 નવેમ્બર 2020 (18:40 IST)
ચાંદીની ખરીદી  કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે. 
 
ધનતેરસ દિવાળીના બે દિવસ પૂર્વ અદિત તિથિમાં મનાવાય છે. 
 
જે પ્રકારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતી,તે જ રીતે ભગવાન ધનવંતરી ધન ત્રયોદશીના  દિવસે અમૃત કળશની  સાથે સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ના થયા હતા. . 
 
દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી  જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે. 
 
કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય  છે. 
 
ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ  દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. 
 
લોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ  ખરીદી ઘરમાં  મુકવામાં આવે છે. .
 
દિવાળી પછી આ બીજને  લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે  ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ  સ્વાદને પણ  વધારે છે . 
 
ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે ઝવેરાત ખરીદવાની પ્રથા છે . એવી માન્યતા છે કે આ ચન્દ્રમાનું  પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને આ દિવસ ચન્દ્ર હસ્ત નક્ષત્ર પણ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

વધુ જુઓ..

નવીનતમ

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments