Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના અસારવામાં એક મંદિરના પૂજારીએ યુવતીને ભાણીયા સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

Webdunia
સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (08:32 IST)
અમદાવાદના શાહીબાગના અસારવામાં આવેલા મંદિરના પૂજારીએ યુવતીને પોતાના ભાણીયા સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું છે. 3 વર્ષ પહેલાથી આ સિલસિલો શરૂ થયો હતો જે બાદ યુવતી પોતાના વતને જતી રહી હતી અને ફરીથી પરત આવતા પૂજારીએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું.

નેપાળની યુવતી 2019માં તેના એક સંબંધી યુવકના ઘરે મેમનગર આવી હતી. યુવક સાથે રહીને યુવતી નોકરીની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાનમાં સરદારનગર ખાતે રહેતા યુવકના મામા નરેશના ઘરે આવ્યા હતા. નરેશ યુવતીને કહ્યું હતું કે, હું તારા લગ્ન મારા ભાણીયા સાથે કરાવીશ. જે બાદ નરેશ યુવતીને લઈને તેના નોબલનગરના ઘરે ગયો હતો. 10 દિવસ યુવતી નરેશના ઘરે રોકાઈ હતી. જે બાદ નરેશ અસારવા કબીર મંદિરમાં પૂજા કરતો હતો. તે મંદિરમાં લઈ જઈને રૂમમાં વાતોમાં ભોળવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાં 15 દિવસ યુવતી રોકાઈ હતી. જે બાદ મેઘણીનગર ભાડાના ઘરમાં 6 મહિના રોકી રાખી હતી. પરંતુ બદનામી ના થાય તે માટે યુવતી નેપાળ વતન જતી રહી હતી. નેપાળમાં 9 મહિના રોકાયા બાદ 6 મહિના પહેલા ફરીથી અમદાવાદ આવી હતી. અમદાવાદ અસારવા મંદિર આવતા ત્યાં મંદિરનો પૂજારી નરેશ એકલો હાજર હતો. જ્યાં નરેશે ફરીથી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મંદિરમાં યુવતી બે મહિના રોકાઈ હતી. જે દરમિયાન નરેશે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નરેશ યુવતીને તેના ઘરે નોબલનગર લઈ ગયો હતો. બદનામીના ડરથી યુવતીએ કોઈને વાત કરી નહોતી, પરંતુ અંતે હિંમત કરીને યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી નરેશને ઝડપી પાડ્યો છે. નરેશની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments