Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદનો પરિવાર ગોવામાં મોજ કરતો હતો અને ચોર બાથરૂમમાંથી ઘરમાં પ્રવેશી રૂ.9.50 લાખ ચોરી ગયો

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (15:27 IST)
અમદાવાદનો પરિવાર ગોવા ફરવા ગયો અને ચોર બાથરૂમમાંથી ઘરમાં ઘૂસ્યો, સાડા નવ લાખની ચોરી કરી પલાયન
શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગેસ એજન્સી અને રેશનિંગનું કામ કરતા વ્યક્તિના ઘરમાં ચોર બાથરૂમમાંથી પ્રવેશીને 9 લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારી અને તેમનો પરિવાર એક સપ્તાહ માટે ગોવા ફરવા ગયો હતો. જે દરમિયાન તેના ઘરમાં ચોરી થઈ હતી. આ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડામાં રહેતા રિયાજખાન ગુલાબખાન પઠાણએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ આ જગ્યાએ પરિવાર સાથે રહે છે. જેમાં નીચેના માળે તેના પિતા જ્યારે વચ્ચે પોતે અને ઉપરના માળ પર તેમનો નાનો ભાઈ રહે છે. તાજેતરમાં 11 મી સપ્ટેબરના રોજ તેઓ પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. ઘરને તાળું માર્યું હતું. તેઓ 16 મી તારીખે પરત આવીને ઘરમાં જતા ઘરમાં વેપારના પડેલા 9.50 લાખ રૂપિયા ગાયબ હતા.બેડરૂમની તિજોરી તૂટેલી હતી.તેમણે વધુ તપાસ કરતા ઘરમાંથી બાથરૂમમાંથી કોઈએ પ્રવેશ કરીને બેડરૂમની તિજોરીમાંથી વેપારના મુકેલ 9.50 લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા છે. હાલ આ બનાવમાં પોલીસ કોઈ વ્યક્તિને અહીંયા રૂપિયા પડ્યા છે તેની માહિતી હોવાની શંકાના આધારે તપાસ કરી રહી છે. બીજી તરફ FSL અને અન્ય સંયોગિક પુરાવા મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments