Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
, સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (15:47 IST)
Champions Trophy 2025: ક્રિકેટની દુનિયામાં હાલ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ વાતાવરણ છે. આ વખતે પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીના રોજ રમાશે.  ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ ટીમ ઈંડિયા પોતાની મેચ રમવા ઉતરશે. આમ તો આ વખતે ચેમ્પિંસ ટ્રોફીની મેજબાની પાકિસ્તાનને મળી છે. પણ ટીમ ઈંડિયા પોતાની મેચ દુબઈમાં રમશે.  હવે મુકાબલા માટે થોડાક જ દિવસ બચ્યા છે.  આ દરમિયાન પાકિસ્તાને એવી હરકત  કરી છે જે જેને નીચતાની બધી હદ પાર કરી નાખી છે. ચેમ્પિયંસ ટ્રોફીથી ઠીક પહેલા પાકિસ્તાનની આ હરકતે એક રીતે ચોંકાવી દીધા છે.  
 
ટીમ ઈંડિયા પાકિસ્તાનમાં નહી રમે મુકાબલો 
વાસ્તવમાં, ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ BCCI એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો. ઘણી બધી મથામણ પછી, આખરે નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય; ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ અને ફાઇનલમાં પહોંચે છે તો તે મેચો પણ ત્યાં જ યોજાશે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યું કે તે આ ICC ટુર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો ગુમાવી શકે છે, ત્યારે તે તેના માટે સંમત થયો.
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 
ચેમ્પિયંસ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ કરાંચીમા રમાશે. તેમા પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે હશે. પાકિસ્તાનમા ત્રણ વેન્યુ પર મુકાબલા રમાશે. જેમા કરાંચી, લાહોર અને રાવલપિંડીના નામ સામેલ છે . આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે કરાંચીનો બતાવાય  રહ્યો છે.  ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તેમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગાયબ છે. ભારત સિવાયના તમામ સાત દેશોના ધ્વજ સ્પષ્ટપણે દેખાય છે તે પોતે જ વિચિત્ર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે આ સમાચારમાં પણ જોઈ શકો છો.
 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અહીં પણ હોબાળો મચી ગયો છે. ફેંસ જાણવા માંગે છે કે પાકિસ્તાને આવું કેમ કર્યું. આનો જવાબ એ હોઈ શકે છે કે ભારતીય ટીમ કરાચીમાં તેની મેચ નહીં રમે, તેથી આવું કરવામાં આવ્યું, પરંતુ વાત એ પણ છે કે ઘણી બીજી ટીમો છે જે કરાચીમાં મેચ નહીં રમે, પરંતુ તેમના ધ્વજને સ્થાન આપવામાં આવ્યું છે, તો પછી ભારતીય ત્રિરંગા પ્રત્યે આટલી ચીડ કેમ છે? આ મામલો હવે વધી શકે છે, આગળ શું થાય છે તે જોવું પડશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

112 દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે ત્રીજું અમેરિકન વિમાન અમૃતસરમાં ઉતર્યું, નવી બેચમાં 19 મહિલાઓનો સમાવેશ