Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પત્ની અને મંત્રીના પાડોશી કોરોનાની લપેટમાં સપડાયા

Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2020 (16:56 IST)
વડોદરામાં કોરોના સંક્રમણના સંક્રમણ અન્ય વિસ્તારમાં પ્રસરતુ રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરના પત્ની તથા અમદાવાદી પોળ ખાતે રહેતા રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલના પાડોશમાં રહેતી મહિલા સહિત વડોદરા શહેરમાં આજે પાંચ પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે લૂંટના કેસમાં પકડાયેલા એક આરોપીને કોરોનો પોઝિટિવ આવતાં તેને સીધો હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આમ વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૨ પર પહોચ્યો છે.
વડોદરાના રેડઝોન નાગરવાડામાંથી શરૂ થયેલા કોરોના વાઇરસના ઝડપભેર ફેલાવામાં નાગરવાડાની આસપાસના વિસ્તાર એવા સલાટવાડા, કોઠીપોળ, અમદાવાદી પોળ એવા રાવપુરા વિસ્તારની પોળો આવી રહી છે. આ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના કેસ આવવાના શરૂ થઇ ગયા છે. આજે સવારે વડોદરામાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં નાગરવાડા વિસ્તારમાંથી વધુ બે વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ ઉપરાંત સલાટવાડા તુલસીબાઇની ચાલીમાંથી એક વ્યક્તિનો પોઝિટિવ આવ્યો છે. અમદાવાદી પોળમાં રહેતી એક ૫૪ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં સત્યમ એપાર્ટમેન્ટમાં જે યુવતીનો બે દિવસ કોરોના પોઝિટી આવ્યો હતો. તેના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ જીઇબી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેના પગલે હવે આ હેડ કોન્સ્ટેબલ કોના કોના સંપર્કમાં હતા તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદી પોળના આવેલી મહિલા રાવપુરા વિસ્તારના ભાજપાના પૂર્વ કાઉન્સિલરની પત્ની છે. તેમનુ મકાન રાજ્ય સરકારના મંત્રીના નિવાસસ્થાનથી ચાર જ ઘર દૂર છે. આજે સવારે આ મહિલાના પતિ તથા પૂર્વ કાઉન્સિલર તથા તેમના પરિવારના સભ્યોનો ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ મહિલાની તબીયત છેલ્લા દસ દિવસથી સારી ન  હોવાથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યાંથી તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં કોરોના પોઝિટિવ નિકળ્યો હોવાનું જાણવા મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments