Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી, બાળક સહિત બે પોઝિટિવ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (15:05 IST)
ગુજરાતમાં એક પણ પોઝિટીવ કેસ ન હોય એવા જિલ્લાઓમાં શરૂ કરાયેલા ટેસ્ટીંગ દરમિયાન સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી બે પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં એક સુરતથી પાલનપુર ગયેલા અને ખેંચની બિમારી ધરાવતા બાળકનો તેમજ અન્ય એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરાના કારેલીબાગમાં પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.  આ ઉપરાંત હોટ સ્પોટ અમદાવાદમાં વધુ તેર નવા કેસ શોધી શકાયા છે એની સાથે 76 વર્ષના ફેફસાંનીબિમારી ધરાવતા વૃધ્ધનું મોત થયુ છે. આ સાથે અમદાવાદમાં કુલ કેસ 295 થયા છે અને મૃત્યું આંક 13 થયો છે. આ સિવાય કોરોનાગ્રસ્ત આણંદ અને વડોદરામાં એક એક કેસ તથા સુરતમાં પાંચ નવા કેસ મળ્યા છે.ગઈકાલે રાત્રે વડોદરામાં 27 વર્ષના યુવાનનું મોત થયું છે તે યુવાન ડેંન્ગ્યુ થયો હતો. એના પિતા અને કાકાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેંગ્યુને લીધે યુવાનની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઇ હોવાથી તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમ, રાજ્યમાં કુલ પોઝેટીવ કેસ વધીને 538 થયા છે જેમાં 461 સ્ટેબલ અને ચાર વેન્ટીલેટર પર છે. 26 વ્યક્તિના મૃત્યું થયા છે. બીજી તરફ આજે વધુ ત્રણ વ્યક્તિ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે જેની સંખ્યા 47 થઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

આગળનો લેખ
Show comments