Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરા જમાતના અમદાવાદના મુખ્ય આમેદ સહિત 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (14:52 IST)
નિઝામુદ્દીન મરકજમાંથી આવેલા લોકો બાદ હવે તબલીગી જમાતના અન્ય સુરા ગ્રૂપના લોકોમાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. સુરા તબલીગી જમાતના કુલ 9 લોકો અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ જણાઇ આવ્યા છે અન્યની તપાસ ચાલુ હોવાનું રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. ગુજરાતના તબલીગી જમાતના સૌથી મોટા ગ્રૂપ સુરાના અમદાવાદ ખાતેના મુખ્ય આમેદ પણ કોરોના પોઝિટિવ જણાયા છે. ઝાએ કહ્યું કે, સુરા ગ્રૂપના ભરૂચ ખાતેના 5 જમાતી અગાઉ કોરોના પોઝિટિવ જણાયા હતા. વધુ 26 સુરા જમાતીઓને ભરૂચ જિલ્લાના બે ગામ કેવલગામ તથા પારખેડ ગામથી મળી આવ્યા છે. આ પૈકી ત્રણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.ભરૂચથી લોકડાઉન પહેલા 13 જમાતીઓ ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ તેઓ લોકડાઉન બાદ ભાવનગરથી પરત ભરૂચ આવ્યા હોવાથી 13 જમાતી તથા ખાનગી વાહનના ડ્રાઇવર સામે ભાવનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મળી આવેલા તમામ સુરા જમાતીઓના મેડિકલ ટેસ્ટ તથા ક્વોરન્ટાઇનની પ્રક્રિયા ચાલુ છે. બીજીતરફ નિઝામુદ્દીન મરકજમા ગયેલા તબલીગી જમાતના વધુ કોઇ જમાતી મળી આવ્યા નથી. ઝાએ તેમ પણ જણાવ્યું કે આ 3 જમાતી રાજ્યમાં લોકડાઉનનો અમલ કરાયો તે પૂર્વે ભરૂચથી ભાવનગર ગયા હતા, પરંતુ લોકડાઉન અમલી બનાવ્યા બાદ ખાનગી વાહનમાં તે ભાવનગરથી ભરૂચ પરત આવ્યા હતા. તેથી તેમના વિરુદ્ધ ઉપરાંત ડ્રાઇવર સહિત 13 સામે ગુનો દાખલ કરાયો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે શૂરા જમાતના ભરૂચના પાંચ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ વિસ્તારના બે અલગ-અલગ ગામો દેવળ અને પારખેડમાં 13-13 જમાતીઓ ત્યાંની મસ્જિદોમાં રોકાયા હતા અને પોલિસને તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ કરાવાતાં વધુ ત્રણ લોકો પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અન્ય લોકોના હેલ્થ ચેક-અપ અને ક્વોરન્ટાઇન સ્ટેજ ચાલુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments