rashifal-2026

અમદાવાદ દીકરીના ઘરે આવેલા વૃદ્ધ દંપતીને ફ્લેટના રહીશોએ પ્રવેશ ન આપ્યો

Webdunia
બુધવાર, 15 એપ્રિલ 2020 (15:36 IST)
કોરોના વાઇરસના હોટસ્પોટ એવા અમદાવાદ શહેરમના વાડજ વિસ્તારમાં દિલ્હીથી અમદાવાદ પોતાની દીકરીના ઘરે આવેલા વૃદ્ધ દંપતીને ફ્લેટના લોકોએ પ્રવેશવા ન દીધા હોવાની ઘટના બની છે. વૃદ્ધ દંપતી વહેલી સવારે પોલીસ પરમિશન સાથે અને પોતે કોરોના નેગેટિવ હોવાના રિપોર્ટ સાથે બાય રોડ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતાં.
ફ્લેટમાં પ્રવેશવા ન દેતા તેઓએ પોલીસની મદદ માંગી હતી.  પોલીસે તેઓને ફ્લેટમાં પ્રવેશવા દેવા માટે સમજાવ્યા હતા. જો કે, સોસાયટીના રહીશોને પોલીસ 3 કલાકથી સમજાવવા છતાં તેઓ માન્યા ન હતા. છેવટે દંપતીના જમાઈ સાસુ- સસરાને વધુ એક ટેસ્ટ માટે અત્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે.
જૂના વાડજના સોરાબજી કમ્પાઉન્ડ પાસે આવેલા હરેકૃષ્ણ ટાવરમાં રહેતા મમતાબેનના માતાપિતા મૂળ કોલકત્તા રહે છે. લોકડાઉનના કારણે તેઓ દિલ્હીમાં ફસાઈ ગયા હતા. લોકડાઉનના પગલે મારા માતાપિતા દિલ્હીમાં ફસાયા હતા. તેઓ કોલકત્તા પરત જઈ શકતા ન હતા.
જેથી તેઓને દિલ્હીથી પોલીસ પરમિશન અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ બાય કાર અમદાવાદ આજે સવારે આવી પહોંચ્યા હતા. મારા ઘરે પહોંચ્યા ત્યારે ફ્લેટના રહીશોએ તેઓને અંદર પ્રવેશવા દીધાં ન હતા. મમતાબેન અને તેમના પતિએ રહીશોને સમજાવ્યા હતા કે, તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને નેગેટિવ છે. આ કહેવા છતાં રહીશો માન્યા ન હતા.
છેવટે મમતાબેને પોલીસનો સહારો લીધો હતો. પોલીસ તાત્કાલિક સોસાયટીમાં પહોંચી હતી. પોલીસે સોસાયટીના સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સોસાયટીના રહીશો માનવા તૈયાર થયા ન હતા. છેવટે તેમના જમાઈ સોસાયટીમાં રહીશોનો ભય અને શંકા દૂર કરવા અત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા લઈ ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments