Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમે એક પરિવાર છીએ, એક ટીમ છીએ, ભરત તખ્તાની સાથે છુટાછેડા થયા પછી પણ મજબૂત બોંડિંગ, બંધો મજબૂત, બોલી - હુ સિંગલ મધર નથી

Esha Deol
વર્ષ 2024 માં ઈશા દેઓલ અને ભરત તખ્તાની એ જુદા થવાનો નિર્ણય લીધો અને બંને પોતાના છુટાછેડાને સાર્વજનિક કરી લીધા. આ છુટાછેડા છતા બંનેના સંબંધોમાં ખટાશ નહોતી આવી અને બંને આજે પણ ખાસ બૉંડ શેયર કરે છે. બંને દરેક મુશ્કેલીભર્યા સમયે એકબીજાના સપોર્ટમાં ઉભા રહે છે. દરેશ સ્પેશ્યલ ઈવેંટને પણ બંને સાથે મળીને સેલીબ્રેટ કરવી પસંદ કરે છે.  ઈશા દેઓલે પોતાન સંબંધો પર ખુદ વાત કરી અને જણાવ્યુ કે તેમના સંબંધોમાં આજે પણ એકબીજા પ્રત્યે સન્માન જીવંત છે.  તેમને એ પણ કહ્યુ કે તેઓ એક ટીમના રૂપમા કામ કરતા પોતાની બંને પુત્રીઓ રાધ્યા અને મિરાયાની દેખરેખ કરી રહ્યા છે.  

એશા અને ભરત કેવી રીતે  કરી રહ્યા છે પેરેન્ટિંગ

બોમ્બે ટાઈમ્સ સાથેના એક ઈંટરવ્યુમાં ઈશા દેઓલે જણાવ્યુ કે ભરતથી છૂટાછેડા થવા છતાં, તેના જીવનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તે માને છે પેરેંટિંગ એક જોઈંટ એફર્ટ હોય છે. કો-પેરેંટિંગ તેમની ટોચની પ્રાથમિકતા છે. બંને તેમના બાળકોના ભલામાટે પ્રતિબદ્ધ છે. એશા દેઓલે કહ્યું, "હું કહેવા માંગુ છું કે ભલે હું સિંગલ છું, પણ હું સિંગલ મધર નથી. ભગવાનની કૃપાથી, ભરત અને હું એક ટીમ જેવા છીએ અને અમે સાથે કો-પેરેંટિંગ કરી રહ્યા છીએ. અમે એક પરિવાર છીએ, અને અમારા બાળકો હંમેશા પહેલા આવે છે. અમે તેમને પ્રેમ કરીશું અને તેમની સંભાળ રાખીશું અને તેમના જીવનમાં મજબૂત સ્તંભ બનીશું. અમે આ માટે તત્પર છીએ."

 

પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે

એશા દેઓલે એ પણ ખુલાસો કર્યો કે તે હાલમાં તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં હોરર કોમેડી ફિલ્મ "ઘૂંઘટ" માં જોવા મળશે. વાતચીત દરમિયાન, એશાએ એ પણ શેર કર્યું કે કેવી રીતે માતૃત્વએ તેની પ્રાથમિકતાઓ બદલી નાખી છે. હવે તે તેના પ્રોજેક્ટ્સ અને ફિલ્મ પસંદગીઓમાં ખૂબ જ પસંદગીયુક્ત બની ગઈ છે. તેણીએ કહ્યું, "એક માતા તરીકે, તમારી પ્રાથમિકતાઓ બદલાય તે સ્વાભાવિક છે. હું મારા બાળકો સાથે રહેવા માંગુ છું અને તેમના ઉછેરમાં સક્રિય રીતે સામેલ થવા માંગુ છું."

ભરત અને એશાનો સંબંધ
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલે 2012 માં ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. 2017 માં, એશા દેઓલ તેમની પહેલી પુત્રી રાધ્યાની માતા બની હતી અને 2019 માં, તેણીએ તેમની પુત્રી મીરાયાને જન્મ આપ્યો હતો. એશા અને ભરત બાળપણના મિત્રો હતા અને સાથે અભ્યાસ કરતા હતા. લગ્નના 11 વર્ષ પછી, તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો. તેઓએ એક સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - તું એટલો ખુશ કેમ